Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
و
ચાલ્યા, ત્યાં તે બીજે ઠગ મળે, તેણે કહ્યું, “અરે બ્રાહ્મણ! તું સસલાને ખાંધે લઈને ક્યાં જાય છે ?
બ્રાહ્મણે તેને જવાબ ન આપે ને આગળ વધે, ત્યારે ત્રીજા ઠગે કહ્યું, “અરે બ્રાહ્મણ ! તું તે રાક્ષસને તારા પર બેસાડી લઈ જાય છે, તેથી તારો નાશ થશે.”
બ્રાહ્મણ આ શબ્દોથી વિચારમાં પડી ગયે. તેને લાગ્યું, “હું જેને લઈ જઉ છું તે બકરશે તે નથી. કેઈએ તેને બકરે કહ્યો નહિ.” આમ વિચારીને તે બકરાને ત્યાં જ છેડી ચાલે ગયે. ને ત્રણે ઠગો ત્યાં આવી તે બકરાને લઈ ગયા.
મંત્રીઓ જ્યારે છેલ્લે નિર્ણય કરવા યત્ન કરતા હતા, પણ નિર્ણય કરી શક્તા ન હતા તે વખતે ત્યાં એક વેશ્યા આવી. વેશ્યાને જોઈ મંત્રીઓ બેલ્યા, “અમાત્ય સિવાય કેઈ સ્ત્રી અથવા પુરુષ આ બંનેમાંથી સારો અને કપટી કોણ છે તે શોધી આપશે તેને રાજા બહુ ધન આપશે, તેને સત્કાર કરશે.”
બરાબર.” રાજાએ કહ્યું, “સંસારમાં બુદ્ધિ કેઈના બાપની નથી. સંસારમાં ઉત્તમ, મધ્યમ અને અધમ આ ત્રણ પ્રકારની માણસની બુદ્ધિ હોય છે તેથી કોઈ સ્ત્રી અથવા પુરુષ આ ઝઘડાને તેડ કાઢે.'
“ તમે બધા જે.” વેશ્યા બેલી, “હમણાં જ આને ફેંસલે કરી આપું છું.' કહી તે વેશ્યા માત્ર એક જ આરણવાળા ઘરમાં બંનેને લઈ જઈ ઘરનું બારણું બંધ