Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
“હું તમને મારા ઘરમાં આશ્રય આપી શકતી નથી.” વેશ્યાએ કહ્યું, “તમે તેમનું ધન હરણ કરશે તે વાત રાજા જાણે તે મને બરબાદ કરે, કેમ કે ચોરી કરનાર, કરાવનાર, સલાહ આપનાર, ભેદ બતાવનાર, ચોરેલા ધનને લેનારવેચનાર, આશ્રય આપનાર આ સાતે જણે ચેર કહેવાય છે. વણિક, વેશ્યા, ચેર, મરેલી વ્યક્તિનું ધન લેવું, પરસ્ત્રીનું સેવન કરવું, જુગાર રમે એ બધા દુષ્કર્મનાં
સ્થાન છે. ચેરી કરનાર પિતાને સંબંધી હોય તે પણ રાજાઓ તેને શિક્ષા કરે છે. ચેર જે ચોરીને ધંધે છોડી દે તે રોહિણેય ચેરની જેમ સ્વર્ગ મેળવી શકે છે, તેથી હું તમને મારે ત્યાં રાખી શકતી નથી.”
વેશ્યાના શબ્દો સાંભળી દેવકુમાર બીજી વેશ્યાને ત્યાં ગયે, ને આશ્રય માટે કહ્યું. ત્યારે વેશ્યાએ કહ્યું, “સી અને પુરુષની વિષમ વાતે ભાસ્પદ હોતી નથી, કેમ કે અવસર વગરનાં કામ, વિષમ વાત, કુમિત્રની સેવા આ ક્યારે પણ કરવા જોઈએ નહિ.”
આ શબ્દો સાંભળી દેવકુમાર ત્યાંથી આગળ વધે. કેટલીય વેશ્યાઓને ત્યાં ગયે, પરંતુ કોઈએ આશ્રય આપે નહિ.
દેવકુમાર આશ્રય શેતે કાલી નામની વેશ્યાને ત્યાં ગયે. તેના પૂછવાથી દેવકુમારે બીજી વેશ્યાઓને કહ્યું હતું, તે કહ્યું. સાંભળી વેશ્યા વિચારવા લાગી. “મારે ત્યાં કઈ શ્રીમંત '