Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૮
ધન ઘટતું નથી. સમુદ્ર પાણીથી ભરેલે! હાય પશુ તેનુ પાણી પીવામાં ન આવે તે તે પાણી કામનુ શુ? '
પત્નીનાં વચન સાંભળી ધન ક્રોધિત થઈ ગયે, અને મારવા માટે ઢાડયા. શ્રીમતી આથી ગભરાઈ અને પેાતાના બાપને ત્યાં આવી ગરીમાઈથી રહેવા લાગી.
આ સંસારમાં મૃત્યુ જેવા કોઈ ભય નથી. દારિદ્ર જેવા કેઈ શત્રુ નથી, ભૂખ જેવી કોઈ પીડા નથી અને ઘડપણ જેવુ કાઈ દુઃખ નથી.
શ્રીમતી તેના બાપને ઘેર ગઈ તેર્યાં ધન શ્રેષ્ટિને રસેઇ કરવામાં ત્રાસ પડવા લાગ્યા. તેથી તે પેાતાને સાસરે ગયા. શ્રીમતીને સમજાવી, પ્રેમથી પોતાને ઘેર લાવ્યે.
એક દિવસે શ્રીમતી પેાતાની સખીએ સાથે જિનેશ્વર ભગવાનનાં દર્શન કરવા મદિરે ગઇ, ત્યાં એક પૈસાનાં ફૂલ લીધાં ને ભગવાનને ચઢાવ્યાં. ધન શ્રેષ્ઠિને આ વાતની ખબર પડતા તે બેભાન થઇ ગયા, તેને શીતે પચારથી સાવધ કરવામાં આવ્યે, જ્યારે તે સાવધ થયા, ત્યારે દાંત પીસતા કઠોર શબ્દો બોલ્યા, ‘એ પાપીણી ! તું મારા પૈસાને
આ રીતે વાપરી મને પાયમાલ કરવા બેઠી છે, મને ભિખારી બનાવવા તૈયાર થઇ છે, આજ તા હું દયા લાવી તને જતી કરું છું. પરંતુ ભવિષ્યમાં આવી રીતે પૈસા વાપરીશ તે મરી ગઈ જ સમજજે.’
એક દિવસે કણે જિનેશ્વર ભગવાનના મંદિરે જઈ