________________
(૧૩૭) ખાતાં બેલી. છતાં જે થયું તે સારાને માટે નહીતર તમારા સિવાય આજે મારી શી વલેહ થાત ! અરરર ! બાઈ ! હું તો તમે નહોત આજે મરી ગઈ હોત મરી ?” પાછી એણે વાતની કળ મચરડી નાંખી. એ બાલિકા ચંદાની વાત કઢા‘વવાની ચાલાકી અદ્ભુત હતી.
ગાડીરે ગાંડી ! જે આખી દુનિયા ઉપર રાજ ચલાવે છે એ એવી ભૂલ કરે ખરે?” આસ્તેથી શ્યામાએ પ્રાણપ્રિય સખી આગળ હૈયાની ગુમ વરાળ બહાર કાઢવા માંડી.
“મનેય લાગે છે કે એમ બનવું તે નજ જોઈએ, એમાં કંઈક ભરમ તે હશે, એ રહસ્ય તે તમે જાણો એનાથી પાભાગનીય અમને ઓછી ખબર હોય; બેન ? મોટા રાજ રજવાડામાં એતો બનતું આવ્યું છે. એમાં કાંઈ નવીનવાઈ થોડી છે.”
તે એવીજ ખટપટનું આ પરિણામ છે. સમજ? અમારે મહેંદ્ર રાજપાટ વગર પરાધિનપણે જીંદગી પુરી કરે, ને એનમા રાજાને વ્હાલે થઈ રાજપાટ ભેગવે તે હું અને મહેંદ્રની માતાથી કેમ સહન થાય ! ભલે ને એને મહારાજે માનીત કર્યો, તેથી શું થયું !”
તમે સત્ય કહે છે બેન ! પિતાના પુત્રની ઉન્નત્તિ કયી માતા ન ચાહે! એ હાલા પુત્રની ઉન્નત્તિમાં આડખીલી નડતી હોય એને દૂર કરવા માતા તો અવશ્ય પ્રયત્ન કરે !” ચંદાએ શ્યામાના ઉદ્ગારમાં હાહા મેળવી સત્ય વાત કહાવા પેરવી કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com