________________
૧૪
રીતે એની પરીક્ષા ન કરે તેવી એની આકરી પરીક્ષા પિતે કરે છે. પ્રાચીન અને નિષ્પક્ષપાતી મુનિવરેનું વક્તવ્ય ચાર્ટર બેન્કનું-સે ટચનું સુવર્ણ છે. એ હકીકત એ એની અગ્નિપરીક્ષા કરી સિદ્ધ કરી આપે ! છે. દા. ત. વિચારે નિખ લિખિત પદ્યની સમીક્ષા –
ક્ષત ર જે વી જે રૂપઃ વિટાgિ અમિદ્ વા વર, તસ્ય કાર્ય પરિવાર "
મહાવીર સ્વામીના અનન્ય રાગી હરિભદ્રસૂરિએ લોકતનિર્ણયમાં આ પ્રમાણે જે ઉદ્દગાર કાઢ્યા છે તેની તાર્તિક દષ્ટિએ આગામે દ્ધારકે ચકાસણી કરી છે. પક્ષપાત એટલે શું ? પક્ષપાત અને રાગમાં ભેદ છે? “વી' ને બદલે ‘વાં અને વસ્ત્રાપુ ને બદલે વિનાવુિં જેવા પ્રાગ કેમ નહિ. ઉત્તરાર્ધ શું સૂચવે છે? આમ અનેક રીતે આ પદ્યની એમણે પરીક્ષા કરી છે. અને એની. સત્યતા પૂરવાર કરી આપી છે.
ગહન વિષયની છણાવટ–સૂકમ નિગોદનું નિરૂપણ એ જ દર્શનની એક વિશિષ્ટતા છે. સાથે સાથે એને રૂપે એક અટપટ પરંતુ ખૂબ મહત્ત્વને વિષય પણ છે. આવા ગહન વિષયને પણ લૌકિક દાખલા-દલીલ આપીને અજેને પણ સહેલાઈથી સમજી શકે. એવી રીતે આગમે દ્ધારકે રજૂ કર્યો છે.
અવળી રજુઆત-સામાન્ય રીતે શ્રાવકે પણ જે સવાલ ઉઠાવતા અચકાય અને છડેચેક બેલતાં ડરે તેવી વાત પણ બેધડક રીતે આગમ દ્ધારક ઉપસ્થિત કરે છે. આ વિચારતાં મને એક પ્રસંગ યાદ આવે છે. કહેવાય છે કે-ઈન્વેરિટિ (Inverarity) જેવા ધારાશાસ્ત્રી એક વાર પોતાના અસીલ તરફથી બેલવા ઊભા થયા ત્યારે ભૂલથી પોતાના અસીલની વિરુદ્ધ જે સામા પક્ષને વકીલ કહે તેવી જ વાતે એમણે કહી. કેઈકે એમનું ધ્યાન ખેંચ્યું ત્યારે એમણે કહ્યું “નામદાર, આ તે મારા મિત્ર-સામા પક્ષના વકીલ-સાહેબ જે કહે તે મેં કહ્યું છે, પણ તે કેવું વજૂદ વિનાનું છે તે હવે હું બતાવું છું.” આમ કહી એમણે આખી વાત પલટી નાખી.