Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૬૨
[ શ્રી વિજયપક્વસૂરિકૃતકાયાને તે તીક્ષણ બાણે જરા પણ ઈજા કરી શકતાં નથી, માટે હે ભવ્ય જીવો! એવા નિર્મળ વિવેક રૂપી ઢાલને જરૂર ધારણ કરે છે જેથી સ્ત્રીઓના આ જણાવેલા ઉપદ્રથી સહેજે બચી શકાય. જગતતા જે વિવિધ વિડં. બનાએ રીબાઈ રીબાઈને અહીં અને નરકાદિ દુર્ગતિમાં ભેગવે છે તેમાં વિદ્યમાન ઘણાં કારણેમાં અવિવેક મુખ્ય કારણ છે. આની ઉત્પત્તિ અજ્ઞાનમાંથી થાય છે. જ્યારે શ્રી જૈનેન્દ્રાગમની પવિત્ર વાણીને અભ્યાસ શ્રવણાદિ સાધને દ્વારા પૂર્ણ પરિચય થાય, ત્યારે અજ્ઞાનને નાશ થઈને વિવેક ગુણ પ્રકટ થાય છે. ત્યાર બાદ ભગતૃષ્ણાને નાશ થાય, અને કેમે કરી સંયમી જીવનના પ્રતાપે સકલ કર્મોને પણ અલ્પ સમયમાં નાશ કરી શકાય છે. આ પ્રમાણે આ નવમાં શ્લોકનું રહસ્ય યાદ રાખવું. ૯
અવતરણુ-જ્યાં સુધી પરમ પુરૂષ અતિશય કામાતુર સ્થિતિમાં હોય છે ત્યાં સુધી તેને સઘળું સ્ત્રી સ્ત્રી ને સમય ભાસે છે, પણ જ્યારે એ જ પુરૂષ વૈરાગ્ય પામે છે ત્યારે સ્ત્રી પાસે હોય તે પણ તેને જોવાનું પણ મન થતું નથી એ વાત ગ્રન્થકાર આ શ્લેકમાં જણાવે છે- *
अग्रे सा गजगामिनी मियतमा, पृष्ठेऽपि सा दृश्यते ।
૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૮ " ___धाभ्यां सा गगनेऽपि सा किमपर, सर्वत्र सा सर्वद ।।
आसीद्यावदनंगसंगतिरसस्तावत्तवेयं स्थितिः। ૨૪ ૨૫ ૨૬, ૨૮ ૨૭ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ संप्रत्यास्यपुरःसरामपि न तां द्रष्टाऽसि कोऽयं लयः? ॥१०॥