Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
[ શ્રી વિજયપારિકૃતજે જુવાની કાલમાં મદ તેહની લીલા મને, પહેલાં હદયમાં લાગતી વહાલી લઈને મેહને; જ્ઞાન તત્ત્વોનું થતાં તેને હસીને કાઢતું, હૃદય મારું સ્વપ્નમાં પણ ના હવે તેમાં જતું. ૨૯૪
અક્ષરાર્થ-કમળ સરખા નેત્રવાળી તે સ્ત્રીઓ તેની તે જ છે. વસન્ત ઋતુને કાળ પણ એને એ જ છે, અંદરથી પવિત્ર એવી વનભૂમિઓ પણ તેની તે જ છે, અને અમે તથા અમારા મિત્રે પણ તેના તે જ છીએ, પરંતુ અત્યારે ખરેખર હૃદયમાં તે તત્વ રૂપી દીવાને પ્રકાશ ઉત્પન્ન થયે (ઝગમગી રહ્યો છે. તે (જે) થી જ એ હદય હવે જુવાનીની ઉન્માદ લીલાને (જુવાનીના તેરમાં આવીને કરેલી કીડાઓને) હસી કાઢે છે. એટલે તેને તુચ્છ અને નહિ કરવા લાયક માને છે.) ૯૪
સ્પષ્ટાર્થ—કમળનાં પત્રની જેવા લાંબાં અને વિશાળ અંજન કરેલાં મનહર નેત્રવાળી, તેમ જ ચન્દ્ર સરખા મુખવાળી, કમળની નાળ સરખી ભુજાવાળી અને સિંહ સરખી પાતળી કેડવાળી સુંદર સ્ત્રીઓને જેઈ યુવાન પુરૂ
ની જુવાની ઉન્માદે (તોફાને ચઢે છે. કામ કીડા કરવા તરફ દેરાય છે) તથા વનની અંદરના ભાગમાં વનસ્પતિ આદિકથી પવિત્ર એવી વનભૂમિઓમાં રહેલી લતાઓ કે જે વૃક્ષોને વીંટાયેલી હોય છે એવાં લતાયુક્ત વૃક્ષની નિકુંજ પણ જુવાન પુરૂષની જુવાનીને ઉન્માદે ચઢાવે છે, તથા અનેક વનસ્પતિઓને નવા લેવાથી શુભાવનારી જૂદી અને