Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૪૫૪
| શ્રી વિજ્યપરિકૃતઉન્માદ લીલાઓ ભયંકર દુર્ગણ રૂપે ભાસે છે, અને મનમાં પશ્ચાત્તાપ કરે છે કે અરેરે અમે આ શું કર્યું? કઈ રીતે આ પાપથી છૂટીછું. હવે અમે તે લીલાઓને (કીડાઓને સ્વને પણ નહિ ચાહીએ. કહેવાનું તાત્પર્ય એ છે કે સદુગુરૂના ઉપદેશથી જીવન તત્વને સમજેલા વૈરાગ્યવંત યુવાન ભવ્ય પિતાની પહેલાંની (ભૂત કાલમાં કરેલી) ઉન્માદ લીલાઓને પશ્ચાત્તાપ કરતા કહે છે કે ખરેખર ! એની એ જ સ્ત્રીઓ, એ જ વસન્ત ઋતુ, એ જ વનભૂમિ અને એ જ મિત્રે એના એ જ છે, પરંતુ હવે હૃદયમાં તત્ત્વજ્ઞાન રૂપ ઈ વાને પ્રકાશ થવાથી તે ઉન્માદી લીલાઓ જોઈને અમને બહું જ હસવું આવે છે (તે કલાઓને જોતાં તિરસ્કાર છૂટે છે ) કે અહો! અમે તે વખતે કેવા ઉન્માદી હતા? આ લેકનું રહસ્ય એ છે કે, હૃદયમાં તત્ત્વજ્ઞાન પ્રગટ થવાથી વૈવનને ઉન્માદ એટલે જુવાનીના તોફાને જરૂર આપ આપ શમી જાય છે. તત્ત્વદષ્ટિના પ્રભાવે સંસારના કારણે પણ વૈરાગ્ય ઉપજાવી શકે છે. આ બાબતમાં શ્રી ઉપદેશ પ્રાસાદમાં ૩રર મા વ્યાખ્યાનમાં એક આચાર્યનું દષ્ટાંત જણાવ્યું છે. તે ગ્રંથમાંથી તેને સાર ગ્રહણ કરીને ભવ્યજીએ જીવાદિ નવ તો જરૂર બેધ મેળવવો જોઈએ, અને તે તને જાણીને ભેગના સાધનેને ત્યાગ કરીને નિર્મલ મેક્ષ માર્ગની આરાધના કરી મુક્તિના સુખ મેળવવા એ જ માનવ જીદગી પામ્યાનું ખરૂં કર્તવ્ય છે. ૯૪
અવતરણ-હવે કવિ આ લેકમાં પ્રશ્નોત્તર રૂપે દેવ ગુરૂ અને વિજ્ઞાનનું સ્વરૂપ જણાવે છે –