Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનકપ્રદીપિકા ]
૫૩૫ ગંભીરા” સુધી ચિંતવે. પછી “નમો અરિહંતાણું' કહી, કાઉસગ પારી પ્રગટ લેગસ્સ કહે પછી એક ખમાસમણ દઈ “વિધિ કરતાં અવિધિ થઈ હોય તે “મિચ્છામિ દુક્કડ એમ કહે. ગુરૂનો વેગ ન હોય તે સ્થાપનાજી સામે આદેશ માગી “ઈચ્છ” કહીને આ ઉપર જણાવેલ વિધિ કરે. અને વસે પદોની આરાધનામાં “દરેક તપમાં કરવાને સામાન્ય વિધિ” આ વિભાગમાં જણાવેલી ૨૨ કલમેમાં કહ્યા પ્રમાણે
આ પદનું ધ્યાન ઉજવળ વણે કરવું, કારણ કે શુકલ ધ્યાનથી અરિહંત પદને સફેદ વર્ણ કહ્યો છે. આ પદની આરાધના કરવાથી દેવ પાળ તીર્થકર થયા છે તેની કથા આગળ આપવામાં આવી છે.
૨. બીજા સિદ્ધપદની આરાધના કરવાને વિધિ-સિદ્ધપદના ૩૧ ગુણ હોવાથી દૂહો બોલી પ્રદક્ષિણા દઈને ૩૧ ખમા સમણ દેવા. તથા ૐ નમો સિદ્ધાણં' પદની ૨૦ - કારવાળી ગણે, સાથીયા ૩૧ કરવા. તથા સિદ્ધના ૧૫ ભેદ હવાથી ૧૫ લેગસ્સનો કાઉસગ્ગ કરો. તપોરત્નમહોદધિમાં સિદ્ધના ૩૧ ગુણ હોવાથી ૩૬ લેગસ્સનો કાઉસગ્ગ કરવાનું કહ્યું છે. આ પદનું ધ્યાન રાતા વણે કરવું. સિદ્ધપરમાત્માએ ધ્યાન રૂપી અગ્નિથી કર્મ રૂપી લાકડાંને બાળ્યાં છે. અગ્નિને વર્ણ રાતે છે. તેથી સિદ્ધનું ધ્યાન રક્ત વણે કરવાનું કહ્યું છે. આ પદની આરાધના કરવાથી હસ્તિપાળ રાજા તીર્થકર થયા છે. બાકીને વિધિ પહેલા પદની વિધિમાં જણાવ્યું છે.