Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૬૪૩
શ્રી શ્રાવકવૃતદીપિકા ] નિયમ કરવું. સવાર સાંઝ પ્રતિકમણના બે સામાયિક અને વચલા આઠ સામાયિક કરીને ગણવા. એ રીતે દસ સામાયિક કરવા. તે દિવસે એકાસણું વિગેરે ત૫
કરે. ૧૧. અગીઆરમા વ્રતમાં-દર વરસે આટલી વાર આઠ પહેરી
કે ચાર પહેરી પિષધ કરો, તેને નિર્ણય કરે.
પિષધના ચાર પ્રકાર. ૧ આહાર પિષધ દેશથી એકાસણું વિગેરે કરવું
અને સર્વથી ઉપવાસાદિ કરે. ૨. શરીરને સત્કાર સર્વથા ન કરે. ૩. સાંસારિક પ્રવૃત્તિને સંપૂર્ણ ત્યાગ કરે.
૪. સર્વથા શીલ પાળે. ૧૨. બારમા વ્રતમાં-વ્રતધારી શ્રાવક મુખ્ય રીતિએ આઠ
પહેરના પાષધમાં વિહાર ઉપવાસ કરે. બીજે દિવસે એકાસણાનું પચ્ચખાણ પૂજા કરી મુનિને પરમ ઉલ્લાસથી વિધિ પૂર્વક કહેરાવે. જેટલી ચીજો મુનિએ લીધી હોય, તેટલી જ ચીજો વાપરે. આ બાબતને વધુ ખુલાસો શ્રી દેશવિરતિ જીવનમાં જણાવ્યું છે. કદાચ આખા વર્ષમાં સાધુની જોગવાઈ ન મળે તે સાધમ બંધુને જમાડીને આ વ્રતની આરાધના કરી શકાય.