Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રી વિશતિસ્થાનક્તદીપિકા ]
૧૦૯ પ્રકૃતિને ઉદ્દેશીને કરાતા તપને માટે સંભવે છે. ) ૧૪ એક માણસ પહેલે દિવસે ચોવિહાર ઉપવાસ કરી બીજે દિવસે તિવિહાર ઉપવાસ કરે. આ રીતના બે ઉપવાસને આલેચનામાં ઇદ્ર તરીકે ગણી શકાય છે, પરંતુ તે મહાવીર સ્વામીના છઠ્ઠ તપમાં ન ગણાય. ૧૫ પહેલા દિવસે ચેવિહાર ઉપવાસ કરનારા ભવ્ય જીવો બીજે દિવસે પહેલાના ઉપવાસને ગણુને ઇદનું કે અક્રમનું પચ્ચખાણ લઈ શકે નહિ. જે દિવસે છટ્ટ વિગેરેનું પચ્ચખાણ લીધું હોય તેજ દિવસના ઉપવાસથી તે લીધેલા તપના પચ્ચખાણની શરૂઆત ગણાય. પાછલે તપ ન ગણ. ૧૬ આઠમ તપ રહિણી તપ વિગેરે ઉશ્ચર્યા હોય, તેમાંના બે તપ એક દિવસે કરવાના આવે, ત્યારે છ કરવાની શક્તિ ન હોય તે જે તપ પહેલે આવે, તે કરે, પછવાડેન તપ પછી કરી આપ. ૧૭ મેહનીય કર્મ સંબંધી ૨૮ અઠ્ઠમ કરતાં વચ્ચે તિથિ સંબંધી તપ કે હિણી આવે તે ચાલતા તપથી ચાલી શકે
દરેક તપમાં કરવાને સામાન્ય વિધિ.
૧ બે ટંક પ્રતિક્રમણ કરવું, ૨ ત્રણ ટંક દેવવંદન વિધિ પૂર્વક કરવું, ૩ બે ટંક પડિલેહણ કરવું, ૪ વિધિ પૂર્વક પચ્ચખાણ કરવું તથા પારવું, પ જિનેશ્વર દેવની પૂજા ભક્તિ કરવી, ૬ ગુરૂ વંદન કરવું, તથા તેમની પાસે પચ્ચખાણ લેવું, ૭ જ્ઞાનની પૂજા ભક્તિ કરવી. ૮ પ્રભુ પાસે બતાવેલ સંખ્યા પ્રમાણે અક્ષત (ચોખા) વડે સાથીયા કરી તેની ઉપર યથાશક્તિ ફળ નૈવેદ્ય ચડાવવું, ૯ દરેક