Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્પષ્ટા સહિત વૈરાગ્યશતક ]
૩૬૭
શબ્દ
છે, અને ચિંતા એ ચિતા સરખી છે, એટલે ચિતામાં જેમ માણસનું મુડદું ખળી રાખ થઇ જાય છે તેમ ચિંતાથી પણ માણસ મનમાં મળી બળીને ખાખ થઈ જાય છે, અને પરિણામે ( છેવટે ) મરણુ પણ પામી જાય છે. માટે ચિંતા ન કરવી જોઈએ. વળી ચિંતાના સંબંધમાં કાઈ કવિ ચિતાની સાથે ઉત્પ્રેક્ષા કરે છે કે, જે ચિંતા ચિતા સરખી છે તા ચિતા શબ્દ અનુસ્વાર વિનાના છે ને ચિંતા અનુસ્વારના અક્ષર વડે અધિક કેમ છે? તેના ઉત્તર આપે છે કે ચિતા તેા જીવને-મુડદાને એક જ વાર ખાળનારી છે અને ચિંતા વારંવાર તથા ભવા ભવ ખાળનારી છે. કારણ કે જીવતા મનુષ્ય ચિંતા વડે વારંવાર બન્યા કરે છે, સુકાતા જાય છે તથા તે આ ધ્યાન રૂપ ચિંતા વડે ઘણાં ક્રમ આંધી ભવ। ભવ દુ:ખી થાય છે. તેમજ ચિંતા એ દેખીતી બાહ્ય અગ્નિ છે, અને ચિંતા એ ન દેખાય એવા અંદરના ( હૃદયના) અભ્યન્તર અગ્નિ છે, આ મુદ્દાને લક્ષ્યમાં રાખીને શબ્દ શાસ્ત્રના જાણકારોએ ચિતામાં એક મીડુ વધારે મૂકર્યું છે.
તથા શાક ( ચિંતા) થી તમામ શરીરમાં બેચેની (ગાંડાપણું') અને ગભરાટ ઉપજે ( થાય ) છે, તેથી જીવ આકુળ વ્યાકુળ ખની જાય છે અને વિચાર શૂન્ય ( એલાન ) અની જાય છે. તથા ચિંતાથી સ્મરણ શક્તિ ધીરે ધીરે ઘટી જતી હાવાથી પરિણામે ભળેલું શ્રુત જ્ઞાન અને તંત્રાદ્રિક વિદ્યાએ પણ નાશ પામે છે, અને તેથી ખ઼ુદ્ધિ ઉત્પન્ન થાય છે, કારણ કે જેને સ્ત્રી અથવા ધન મેળવવાની ચિંતા