Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
સ્વાર્થ સહિત વૈરાગ્યશતક]
૧૧૯ દત્ત ચક્રવર્તીના પુત્ર થાય છે. મેટી ઉંમરે પુત્રને માતા પિતા ઘણી રાજ કન્યાઓ પરણાવે છે.
એક વખત રાજકુમાર મહેલની અગાસીમાં ફરતે હતે. તે ટાઈમે તેણે આકાશમાં સુંદર વાદળાંની રચના દીઠી. મનમાં તે બહુ રાજી થયા. પણ ક્ષણવારમાં બનાવ એ બન્યું કે પ્રચંડ વાયુના જોરથી તે બધાએ વાદળાં વિખરાઈ ગયા. આ બનાવ જોઈને કુંવરને વૈરાગ્ય ભાવ પ્રકટ ગયે. આથી તેણે વિચાર્યું કે જેવું આ વાદળાંનું સ્વરૂપ અનિત્ય છે, એટલે ક્ષણ વારમાં તે પલટાઈ ગયા, તેવું જ સ્વરૂપ સંસારમાં ધન યવન સુખ પ્રેમ વિગેરે પદાર્થોનું જણાય છે. વ્યાજબી જ છે કે જે વરતુ સવારે જોઈ હોય તે બપોરે દેખાતી નથી. બપોરે જોયેલી ચીજ સાઝે દેખાતી નથી. સ્થિર અને કલ્યાણકારી વસ્તુ સંયમ જ છે. તેની સાધના કરીને મારે આત્મ કલ્યાણ કરવું એ વ્યાજબી છે. એમ વિચારી શ્રી ગુરૂ મહારાજની પાસે તેણે પરમ ઉલ્લાસથી સંયમ ગ્રહણ કરીને તેની સાધના કરવા માંડી. અનુક્રમે અવધિ જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ થવાથી તે મુનિરાજ અવધિજ્ઞાની બન્યા, અને અપ્રતિબદ્ધપણે વિહાર કરી પૃથ્વી તલને પાવન કરવા લાગ્યા. હવે ભવદેવને જીવ સૌધર્મ દેવકના દેવતાઈ સુખે ભેગવીને દેવાયુષ્ય પૂર્ણ થવાથી ત્યાંથી અવીને આજ વિદેહ ક્ષેત્રના વીતશેક નામના નગરમાં શિવકુમાર નામે રાજકુંવર થાય છે. આ રાજકુંવર ૨૩મા પાનાથી જોઈ લેવી. તે શેર દલાલ જેસંગભાઈ કાલીદાસે પાવી છે.