Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
૨૯૪
[ શ્રી વિજ્યપધસૂરિકૃતખર એ રીતે આગમ ન્યાય અને કાવ્યશાસ્ત્રો ભણને કેવળ લેમાં પંડિત કહેવાય, અને વાદ વિવાદથી લેકેને રંજન કર્યા, તેથી જ રત્નાકર પચ્ચીસીમાં કહ્યું છે કે “ધોલેરો ગાના” તથા “ વાવાર વિદ્યાર્થથનં એડમૂત' એટલે હે પ્રભુ! લોકને રાજી કરવા માટે જ મેં ધર્મોપદેશ આપે, પરંતુ તે મારા હિતને માટે ન થયું. અને હું વિદ્યા ભયે તે કેવળ વાદવિવાદ કરવામાં કામ આવી પણ મારા આત્માને તેથી કંઈ પણ લાભ ન થયો. વળી પરમાત્મ ભક્તિ વિના કેવળ ઢોરની જેમ જીવન ગાળીને ઘણી વાર અમૃતરસ પીવાથી શું વળ્યું. તથા ઘણાં સ્વાધ્યાય (ભણવું) કર્યા, તેમજ પાણનિ સિદ્ધહેમ સારસ્વત વિગેરે ઘણાં વ્યાકરણ શાસ્ત્રો ભણી વ્યાકરણાચાર્યની પદવી લીધી યરતુ હૃદયમાં પરમાત્મ સ્વરૂપની ચિંતવનાનું મોટું મીઠું હોય તો એવા વ્યાકરણને બરાડા પાડવાથી શું વળ્યું? આ ઑકનું રહસ્ય એ છે કે આગમ ન્યાય છંદ વ્યાકરણ વિગેરે શાસ્ત્રો ભણે કે ન ભણે પરન્તુ પરમાત્માના ધ્યાન વિના કદી પણ આત્મ કલ્યાણ થવાનું નથી. માટે જ્ઞાનીએ કે અજ્ઞાનીએ પરમાર્થથી તે પરમાત્માની દયાન રૂ૫ ભક્તિ કરવી એ જ પરમ કલ્યાણકારી છે, અને જગતમાં સર્વ શાસ્ત્રની રચના પણ કેવળ પરમાત્મ સ્વરૂપ પામવાને જ થઈ છે છતાં મૂઢ પંડિતે તેને લોકરંજન માટે ઉપયોગ કરે છે તે કેવળ અજ્ઞાનતા જ છે. ૫૯
અવતરણ-હવે કવિ આ લેકમાં સૂર્યના પ્રકાશથી