________________
આત્માનો જ્ઞાનસ્વભાવ કાયમ છે તે સામાન્ય (છે) અને વર્તમાન કાર્યરૂપ જે જ્ઞાન તે તેનું વિશેષ છે. સામાન્યજ્ઞાનનું વિશેષ કહો કે કાયમના જ્ઞાનસ્વભાવનું પરિણમન કહો કે જ્ઞાનની વર્તમાન દશા-હાલત-પર્યાય કહો—તે એક જ છે.
આત્માનો સ્વભાવ જ્ઞાન છે. જ્ઞાન એકલું જાણવાનું જ કાર્ય કરે છે. શબ્દને કે રૂપને–ગમે તેને જાણવામાં જ્ઞાન એક જ છે. જ્ઞાનમાં ફેર પડી જતો નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ પોતાથી છે. તે કોઈના નિમિત્તથી નથી. આત્માનો ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે, તે જ્ઞાન પોતાથી જ વિશેષરૂપ કાર્ય કરે છે. આત્મા ઇન્દ્રિયથી જાણતો જ નથી તે તો પોતાના જ્ઞાનની વિશેષ અવસ્થાથી જ જાણે છે. સામાન્યજ્ઞાન પોતે પરિણમીને વિશેષરૂપ થાય છે, ને વિશેષજ્ઞાન જાણવાનું કાર્ય કરે છે.
જ્ઞાન પરના અવલંબનથી જાણે’–એમ માનવું તે અધર્મ છે. “જ્ઞાન સ્વાવલંબનથી જાણે' એવી શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા તે ધર્મ છે.
અહીં, આ શ્રી જયધવલા શાસ્ત્રની ખાસ વિશેષતા છે કે પરાવલંબનરહિત જ્ઞાનની સ્વાધીનતા બતાવી છે. બીજી પણ અનેક વાતો છે, તેમાં આ એક વિશેષ છે.
મારા જ્ઞાનનું પરિણામરૂપ વર્તન, તે વર્તનરૂપ વિશેષ-વ્યાપાર (–ઉપયોગ) મારાથી થાય છે, તેને કોઈ પરના નિમિત્તની કે પરદ્રવ્યની જરૂર નથી એટલે કે જ્ઞાન સ્વાધીનતાથી કદી ખસીને પરાવલંબનમાં જતું નથી, તેથી તે જ્ઞાન પોતે સ્વાધીન અને સુખરૂપ છે. | સ્વાધીન જ્ઞાનસ્વભાવે જ નિગોદથી સિદ્ધ સુધી બધા જીવોમાં જ્ઞાન થાય છે; પણ જેમ થઈ રહ્યું છે તેમ અજ્ઞાની નથી માનતો, તેથી જ તેની માન્યતામાં વિરોધ આવે છે. | સર્વે જીવોને સામાન્યજ્ઞાનસ્વભાવ છે. તે જ્ઞાનનું વિશેષ-કાર્ય પોતાના ૨ ચસ્વભાવના અવલંબને જ થાય છે. એટલે “જ્ઞાન” રાગ કે પરનિમિત્તના અવલંબન વગર જ કાર્ય કરે છે. તેથી “જ્ઞાન” રાગ કે સંયોગ રહિત છે.
જ્ઞાન ઇન્દ્રિયથી જાણતું નથી. જો જ્ઞાન કાર્ય વગરનું રહે અર્થાતુ વિશેષ વગરનું રહે તો વર્તમાન વિશેષ વગર સામાન્ય જાણે કોને? વિશેષ ન હોય તો સામાન્યજ્ઞાન જ
ક્યાં રહ્યું? જો વર્તમાન પર્યાયરૂપ વિશેષ ન માનો, તો “સામાન્યજ્ઞાન છે. તેનો વિશેષ વગર કોણ નિર્ણય કરશે? નિર્ણય તો વિશેષજ્ઞાન કરે છે.
વર્તમાન વિશેષજ્ઞાન દ્વારા પરાવલંબનરહિત સામાન્યજ્ઞાનસ્વભાવ જેમ છે તેમ જાણવો તેમાં જ ધર્મ સમાઈ જાય છે.
સપ્ટેમ્બર, ૨૦૦૭ ]
આત્મધર્મ
[ ૩