Book Title: Swadhyaya Sudha
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 21
________________ ૧૨ સ્વાધ્યાય સુધા માનવું. જેટલી આંતર ઉપયાગની લીનતા તેટલો બળવાન પુરુષાર્થ જાણવો. અંતર્મુખ લીનતા ઓછી હોય તો તે પ્રબળ બનેલી ગ્રંથિમાં પ્રવેશ કરી શકતો નથી. સમ્યક્દર્શન થતાં પહેલાં પાંચ લબ્ધિઓ પ્રગટ થાય છે. (દેશના લબ્ધિ, પ્રાયોગ્યલબ્ધિ, કરણલબ્ધિ આદિ). તેમાં ચાર લબ્ધિઓ ગ્રંથિભેદ ન થયો હોય તો પણ થાય છે. પણ પાંચમી કરણ લબ્ધિ તો જેને ગ્રંથિભેદ થવાનો છે, તેને જ થાય છે. તેના પણ ત્રણ ભેદ છે. (૧) અધકરણ (ર) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. એક જ કરણના ત્રણ ભાગ હોવાથી અને મધ્યભાગ અપૂર્વકરણ હોવાથી ગ્રંથિભેદ કરવામાં અપૂર્વકરણ શબ્દ મુખ્યપણે વપરાય છે. અપૂર્વકરણ એટલે પ્રબળ બનેલી ગ્રંથિને કાબુમાં લેવી અથવા કબજે કરવી. આમ થવા માટે શરૂથી જ પ્રબળ પુરુષાર્થની જરૂર છે. જેણે પ્રથમથી જ પ્રબળ પુરુષાર્થ ઉપાડ્યો છે, તેનું નામ જ અપૂર્વકરણ છે અને તેનું બીજું નામ પ.કૃ.દેવ શ્રીમદ્જીએ અતિ બળવાન થઈ આગળ વધી જાય છે તેમ કહ્યું છે. જેને આ કરણ લબ્ધિ પ્રગટ થાય તે જ પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરી શકે છે અને તેને જ ગ્રંથિ પોચી પાડવી કે મોળી પાડવી કહ્યું છે. કારણ કે જે પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરવા જાય છે, તેમાં મોહનીયના કારણે રૂપાંતર સમજાવવાથી તે ફેંકાઈ જાય છે. તેથી ગ્રંથિનું નિબિડપણું થાય છે. પણ જે પ્રબળ પુરુષાર્થ દ્વારા આગળ વધી જાય છે, તેણે ગ્રંથિ પોચી પાડી કહેવાય છે અને ક્રમે ક્રમે ગ્રંથિમાં આગળ વધી ગ્રંથિ ભેદ કરે છે. ગ્રંથિભેદ ટુકડે ટુકડે થતો નથી જેને થાય છે તેને એક ઝાટકે જ થાય છે અને નથી થતો તો તે પાછો પડે છે. છતાં હિંમત કરી આગળ વધવા ધારે છે, પણ મોહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે, તેમ સમજે છે અને ઊલટું તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. હિંમત બે પ્રકારની છે. સાંસારિક કાર્યની અને પારમાર્થિક કાર્યની. સાંસારિક કાર્યમાં હિંમત કરવી એટલે પોતાની તમામ તાકાતને ભેગી કરી એકી સાથે હુમલો કરવો. પણ પારમાર્થિક કાર્યમાં હિંમત ભેગી કરવાનું લક્ષ અને હુમલો કરવાનું લક્ષ, તે જ દિશા ચૂકી જવી તે છે. સાંસારિક હિંમત આવેશયુક્ત હોય છે અને તેમાં પોતાની તાકાતનું ભાન રહેતું નથી. પણ પારમાર્થિક હિંમત એટલે સમભાવ-સમતાને ધારણ કરવી તે છે. માટે હિંમત કરી આગળ વધવું એટલે સમતાભાવને ધારણ કરી આગળ વધવું તે છે. માર્ગ સહજ હોવાથી, તેમાં ઉતાવળ કે આવેશ ચાલતો નથી. જ્યાં બળ વાપરવાનો ભાવ કે જોર કરવાનો ભાવ છે ત્યાં કષાય અને મોહનીયનું બળ વધારે હોવાથી દિશા ચૂકી જવાય છે. પોતે તો એમ જ માને છે કે હું પુરુષાર્થમાં આગળ વધુ છું, પણ સહજતા ચૂકી જવાથી એટલે મોહનીયનું બળ વધવાથી તે ભૂલો પડે છે તેનું ભાન રહેતું નથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 ... 242