________________
જિન–પ્રતિમા જિનવર સમ ભાખી
સૂત્ર ઘણું છેસાખી !
[ આગમને માનનારે પંચાંગીને પણ માન્ય કરવી જ જોઈએ?
પ્રતિમાને નહિ માનનારો વર્ગ પણ અમુક આગમને તે માને જ છે.
પ્રતિમા, એ શ્રી વીતરાગ તીર્થંકર પરમાત્માના રૂપી આકારની સ્થાપના છે, તો આગમ એ શ્રી વીતરાગ તીર્થંકર પરમાત્માના અરૂપી. જ્ઞાનને અક્ષરાકારે સ્થાપના છે."
શ્રી વીતરાગ તીર્થંકર પરમાત્માના સાક્ષાત્ આકારની સ્થાપનાને નહિ માનવાની હિંમત કરી શકનાર વર્ગ પણ તેઓશ્રીના અરૂપી જ્ઞાનની અક્ષરાકાર–સ્થાપના-સ્વરૂપ આગમને નહિ માનવાની હિંમત કરી શકેલ નથી, એ વસ્તુ પણ સ્થાપનાના અપ્રતિહત પ્રભાવને જ સૂચવે છે.
મૃતિ અને તેની પૂજાને નિષેધ કરનારે વર્ગ, પીસ્તાળીસ આગમમાંથી પિતાને ઈષ્ટ એવાં બત્રીસ આગમ અને તે પણ મૂળ માત્રને જે માને છે. તેમ માનવા છતાં એ બત્રીસ આગમમાં પણ સ્થાપના-નિપાની કેટલી પ્રબળ વ્યાપકતા રહેલી છે, એ સમજાવવા માટે પરોપકારી શાસ્ત્રકાર-મહષિઓએ એ છે પ્રયાસ કર્યો નથી.