________________
મારવા મરવાના વિચારે અને વર્તન ઈત્યાદિ અશુદ્ધ પ્રવૃતિ છે આમાં દર્શન ઉપગ સામાન્ય છે અને જ્ઞાન ઉપયોગ વિશેષ છે. એ બંનેની યથાયોગ્ય ઘટના કરી લેવી. શુદ્ધ પ્રવૃત્તિથી કર્મની નિર્જરા અને મેક્ષ પ્રાપ્તિ, શુભ પ્રવૃત્તિથી દેવ મનુષ્યની ગતિ, અશુભ પ્રવૃત્તિથી તિર્યંચની ગતિ અને અશુદ્ધ જ્ઞાન દર્શન ઉપગથી નરકનીગતિલાયક કર્મ બંધાય છે સમ્યકત્વને સંબધથી તે જ્ઞાનાદિ સમ્યક –બરાબર કહેવાય છે અને મિથ્યાત્વના સંબંધથી તે મિથ્યા જ્ઞાનાદિ કહેવાય છે.
જે જ્ઞાનમાં વસ્તુતાવો વિપરીત બંધ હોય છે તેને મિથ્યાત્વ કહે છે. બગીચાનાં વૃક્ષો જેમ પાણીથી વૃદ્ધિ પામે છે તેમ આ વિપરીત બોધ રૂપ મિથ્યાત્વથી કર્મરૂપ વૃક્ષ વૃદ્ધિ પામે છે.
મેહનીય ક્રમના બે ભેદ છે, એક દર્શન મેહનીય અને બીજો ચારિત્ર મેહનીય. દર્શન મોહનીય કર્મ સત્ય -વસ્તુમાં શ્રદ્ધા કે દઢતા થવા દેતું નથી, અને ચારિત્ર મેહનીય કર્મ જાણવા પ્રમાણે વર્તન કરતાં અટકાવે છે. જ્ઞાન અને દિનનાં આવરણે દૂર થતાં વસ્તુને વસ્તુ રૂપે જાણ જોઈ શકાય છે પણ તે સાથે આ દર્શન મોહિનીય કર્મ ઓછું થયું હોય તેજ તે વાત યથાર્થ છે એવી તેના ઉપર શ્રદ્ધા આવી શકે છે અને તે શ્રદ્ધા આવ્યા પછી ચારિત્ર મેહની કમ ઓછું થતાં તે પ્રમાણે વર્તન કરાય છે.