________________
ધર્મ.
(૫૮૩)
‘
~
~~~
~
~~
~
ધર્મનું શીધ્ર આચરણअवाप्य धर्मावसरं विवेकी, कुर्याद्विलम्ब न हि विस्तराय । यतो जिनस्तक्षशिलाधिपेन, रात्रि व्यतिक्रम्य पुनर्न नेमे ॥५२॥ " વર્ષનાથજરિત્ર (જ), ૮૮. (અ. .) જ
વિવેકી માણસે ધર્મને સમય પ્રાપ્ત થયા પછી તે ધર્મ વિસ્તારથી કરવાના હેતુથી પણ વિલંબ કર ન જોઈએ. કારણ કે તક્ષશિલા નગરીના સ્વામી બાહુબળીએ માત્ર એક રાત્રિને જ વિલંબ કર્યો, એટલે કે “પ્રભુને પ્રાત:કાળે મોટા વિસ્તારથી જઈને વંદન કરીશ” એમ ધારીને માત્ર રાત્રિ જ નિર્ગમન કરી, તેથી તે પ્રાત:કાળે ગયા ત્યારે પ્રભુએ અન્યત્ર વિહાર કરેલ હોવાથી પ્રભુને વાંદી શકયા નહીં. પર.
विलम्बो नैव कर्तव्य आयुर्याति दिने दिने । न करोति यमः शान्ति, धर्मस्य त्वरिता गतिः ॥५३॥
હે ભવ્ય જીવ! ધર્મ કરવામાં જરા પણ વિલંબ ન કરે. કેમકે દિવસે દિવસે આયુષ્ય જતું જાય છે અને યમરાજ (મૃત્યુ) ક્ષમા કરતો નથી એટલે કે એક ક્ષણું પણ રાહ જોતો નથી. અને ધર્મની ગતિ શીધ્ર છે. ૫૩. ધર્મ અને પાપ –
दुःखं पापात् सुखं धर्माद, सर्वशास्त्रेषु संस्थितिः। न कर्तव्यमतः पापं, कर्तव्यो धर्मसंचयः ॥५४ ॥
शासवार्तासमुचय, स्तबक १, श्लो० ३.