Book Title: Subhashit Padya Ratnakar Part 02
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
મેક્ષ.
( ૮૦૭)
| સર્વ સંગને ત્યાગ કર, સર્વ (સુખ દુઃખાદિક) બંને સહન કરવા, સર્વ (શુભ અશુભ વિષયે તથા વસ્તુઓરૂપી) બંને વિષે સમદષ્ટિ રાખવી, આ મેક્ષને ઉત્તમ વિધિ છે. ૨૩.
यस्य चित्तं द्रवीभूतं, कृपया सर्वजीविषु । तस्य ज्ञानं च मोक्षश्च, किं जटाभस्मचीवरैः १ ॥२४॥
પદ્મપુરા, ૦ ૮૨, . રૂ. જેનું મન સર્વ જીવોને વિષે કૃપા કરીને ભીંજાયેલું હોય, તેને જ જ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થાય છે. જટા રાખવાથી, ભસ્મ ચોળવાથી કે ચીવર પહેરવાથી (અર્થાત કોઈ પણ જાતને સાધુવેષ રાખવાથી) શું ફળ છે? કંઈ જ નથી. ૨૪. ????
कमेंन्धनं समाश्रित्य, दृढा सद्भावनाऽऽहुतिः।। धर्मध्यानामिना कार्या, दीक्षितेनामिकारिका ॥ २५॥
बृहदारण्यक, उत्तरभाग, श्लो० २१. જેણે (મોક્ષ મેળવવા) દીક્ષા લીધી હોય તેણે કર્મરૂપી ઇધનને આશ્રય કરી ધર્મધ્યાનરૂપી અગ્નિવડે ઉચ્ચ ભાવનારૂપી દઢ આહુતિ આપીને, અગ્નિકારિકા કરવી–અગ્નિહોત્ર કરવું ૨૫.
गतपथं यथा तुम्बं, जले यात्युपरि स्वयम् । क्षीणकर्ममलो जीवस्तथा याति शिवालयम् ॥ २६ ॥ જેમ કાદવના લેપ રહિત થયેલું તુંબડું પિતાની મેળે જળ ઉપર આવે છે–તરે છે, તેમ કર્મરૂપી મળથી રહિત થયેલો જીવ પોતે જ શિવાલયમાં–મેક્ષમાં જાય છે. ૨૬.

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484