________________
૮ઃ શરણ કોને અપાય અને કોણ આપી શકે ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, માગસર વદ-૭, રવિવાર, તા. ૨૨-૧૨-૧૯૨૯
• ધર્મ કોણ કહેવાય ?
શરણે આવેલાને શરણ આપે તે શ્રીસંઘ છે : • શરણ કોને અપાય? • પાંચેય પરમેષ્ઠિ દીક્ષાવાળા જ છે : • સંઘને આધારભૂત આગમ છે :
વડીલની આજ્ઞા ન માને છે અને અયોગ્ય આજ્ઞા માને; એ બન્નેય પુત્ર છે : • એક સોલિસિટરનું કથન અને તેનો પ્રતિકાર : • હિતકર મનુષ્ય પ્રેમ વિરાગીને હોય કે રાગીને હોય ? • ધારાશાસ્ત્રી શા માટે ? • સાચું સુખ જ પ્રભુના શાસનમાં છે :
ધર્મ કોણ કહેવાય ? - સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજય માની, સ્તુતિમય ગાથાથી શ્રી સંઘનું સ્વરૂપ બતાવે છે. શ્રીસંઘને પ્રથમ વગરની ઉપમા આપી. ખરેખર, દરેક ધર્મી આત્માને વસવા માટે શ્રીસંઘ એ નગરરૂપ છે. ધર્માત્માને વસવા માટે શ્રી તીર્થંકરદેવે શ્રીસંઘરૂપ નગરની સ્થાપના કરી છે. દરેક ધર્માત્માઓનું રક્ષણ શ્રીસંઘરૂપ નગરમાં થાય. જ્યાં ધર્માત્માઓનું - રક્ષણ ન થાય, એ શ્રીસંઘ જ નથી. ધર્મીના રક્ષણ માટે શ્રીસંઘ એ નગરરૂપ છે. ધર્મની આરાધનાના સાધનમાં ત્રુટિ હોય, તો શ્રીસંઘનગર પૂરી પાડે, કેમકે-એ નગરમાં ઉત્તર ગુણરૂપ મકાનોનો તોટો નથી, શ્રુતજ્ઞાનરૂપ શેરીઓ ઘણી છે અને રક્ષણ માટે ફરતો અખંડ ચારિત્રરૂ૫ કિલ્લો પણ મજબૂત છે.
એવા સુંદર નગરમાં ધર્મીને હરકત પડે જ નહિ. ધર્મી તે કે – જે સંસારને દવા માંગે. સંઘનગરમાં બીજાને સ્થાન નથી. - આ શ્રીસંઘરૂપ નગરની વાત છે, બીજા નગરની વાત નથી. શ્રીસંઘરૂપ નગરનો કિલ્લો અખંડિત રહેવો જોઈએ. અખંડ ચારિત્રરૂપ કિલ્લાનો ભંગ થાય તો એ નગરનો પણ ભંગ થતાં વાર ન લાગે અખંડ ચારિત્રરૂપ કિલ્લો