Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 571
________________ ૫૫૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 550 આ ફતવાશાસ્ત્રને ઉખેડી નાંખવાની, હંમેશને માટે ભસ્મ કરવાની જરૂર વીસમી સદી સ્વીકારે છે.” “જૈન સાહિત્યમાં ઊઠેલા અંગારાઓએ તે હક્કો સ્થાપન કરવાને અને તેને પોષવાને, પોતાનાથી બનતું કર્યું છે.” શ્રાવકો અને સાધ્વીઓથી અમુક શાસ્ત્ર ન વંચાય, એવું એવું દાંભિક સાહિત્ય ઊભું કર્યું અને આ સાહિત્યને શાસ્ત્રને નામે ચઢાવ્યું. આ દાંભિક સાહિત્ય, શ્રાવક-શ્રાવિકા અને સાધ્વીઓને ગુલામ બનાવનારી બેડીઓ છે, પણ સાહિત્ય નથી જ.” તે આડી શાસ્ત્રોની પાળ બાંધનાર સાધુને જ અવગણ્યે જ છૂટકો. આવી પાળ બાંધનારા, વિકારી સાહિત્યના ઘડનારની બુદ્ધિ તે વખતે ભ્રષ્ટ થઈ ગઈ હશે, એમ આપણે માનવું જોઈએ.” આપણા ધાર્મિક સિદ્ધાંતો કે સૂત્ર, સડેલી કે જર્જરિત અને જુનવાણી વ્યવસ્થાના રક્ષક તરીકે તો ન જ વપરાવવા જોઈએ.” . “આપણે મૂર્તિને નામે ગમે તેવી કલાહીન મૂર્તિને ચલાવી લઈએ છીએ અને મંદિરને નામે ગમે તેવાં મકાનને ખડાં કરીએ છીએ અને તેમાં પણ મુંબઈ જેવા આગળ વધેલા શહેરમાં પાયધુની પરનાં કલાહીન મંદિરોની હાર જોઈએ. છીએ, ત્યારે આધુનિક જૈનોમાં વૈશ્યવૃત્તિ સિવાય બીજી કોઈપણ જાતની વૃત્તિ હશે કે કેમ, તેમ આપણને શંકા થાય છે.” “આંખ મીંચીને હરીફાઈને લઈને ગમે તેમ ખડકી રાખેલાં મંદિરો કે મૂર્તિઓ અને મંદિરોના આ કાર્ય સફળ નથી કરતી.” સાહિત્ય અને વિજ્ઞાન : “અત્યારે તો ધાર્મિક સાહિત્યમાં રહેલા અલ્પવિરામ અને પૂર્ણવિરામ

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598