Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 573
________________ પપ૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 552 બ્રાહ્મણોના ફતવાશાસ્ત્રોનું ઉપનામ આપી, જળમૂળથી ઉખેડી નાંખવાની કે ભસ્મીભૂત કરી નાંખવા સુધીની નીચતા દર્શાવતાં તેમને કંપારી આવી નથી અને ઉપકારી મહાન પુરુષોને ભ્રષ્ટબુદ્ધિના કહીને હૃદયનો હળાહળ દ્વેષ ઠાલવ્યો છે. આ ઉપરાંત નર્કની મશ્કરી, ત્યાગ, તપ અને જ્ઞાનઉપદેશ આપનારને મૂખ, ગીતાર્થોને કીડીઆરા સાથે અને વાસક્ષેપની ભભૂતિ સાથે સરખામણી, વ્યભિચાર, પોષણ, ધર્મ એ બાળાગોળી, મંદિરોને ખડકાયેલાં અને મૂર્તિઓને કળાહીન કહી આવી આવી અનેક રીતે જૈનધર્મને ઇતર સમાજ આગળ હલકો પાડવા માટે છાપાંની કૉલમોની કૉલમો ભરી પ્રયત્ન કરવા આવ્યો છે. જૈન ધર્મ ઉપર આવા ભયંકર આક્ષેપો મૂકવામાં આવ્યા હોય તો ઇતિહાસમાં આ પહેલીવાર છે, અને તે પણ જૈન નામધારી સંસ્થા તરફથી થાય અને સમાજના નાયકોનિશ્ચિતપણે જોયા કરે તે તો ઇરાદાપૂર્વક જૈન ધર્મની હસ્તીને નાબૂદ કરવાનો પ્રયત્ન છે, એમ કહી શકાય. જૈન માત્રને સાંભળતાં કાનમાંથી કીડા ખરે તેવાં, જૈનશાસનને માનનારાનાં કાળજાના ટુકડે ટુકડા કરી નાંખે એવાં અને હૃદય આગની હોળી સળગાવનારાં ધર્મનાશક લખાણો લખનાર સંસ્થા એ સ્વેચ્છાચારી, ઉન્મત્ત અને ધર્મદ્રોહ છે. એવું આ તકે જાહેર કરવાની દરેકની ફરજ થઈ પડે છે. આગામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સના પ્રમુખ સ્વાગત સમિતિના પ્રમુખ અને અન્ય કાર્યવાહકોને અમે અપીલ કરીએ છીએ કે, જૈન સમાજ બેવફા નીવડેલા આ મુંબઈ જૈન યુવક સંઘ નામની સંસ્થાને તેના સ્વરૂપમ ખુલ્લી રીતે પ્રકાશમાં લાવી, તે માટે યોગ્ય ઠરાવ કર્યા પછી જ કોન્ફરન્સનું કામ આગળ ચલાવે. આ તેમની મુખ્ય અને અનિવાર્ય ફરજ અને તે નહિ ચૂકવા માટે કોન્ફરન્સના તેમજ હિન્દુસ્તાનના તમામ જૈન સંઘના આગેવાનોનું પહેલામાં પહેલું ધ્યાન ખેંચીએ છીએ. લિ. શાસનસેવકો ચુનીલાલ માવજી શાહ મણીલાલ કરમચંદ શાહ કેસરીચંદ હીરાચંદ ઝવેરી મોતીલાલ પુંજમલ શાહ લલ્લુભાઈ ધનજી શાહ લાલભાઈ ચંદુલાલ ઝવેરી મુંબઈ તા. ૧૫-૧-૧૯૩૦

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598