Book Title: Sangh Swarup Darshan Part 01
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 579
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ તા. ૧૪-૧૦-૨૯. ‘સાંજ વર્તમાન' શ્રી મુંબઈ જૈન યુવક પત્રિકા નં. ૧૪. ૫૫૮ સાધુ-સંસ્થા પુનઃર્વિધાનને પંથે “શું દેશો ? દીક્ષાનાં દાન કે ભિક્ષાના પરવાના ?” 558 * “પણ દીક્ષા લેનારે ભરણપોષણ કે એવી બીજી જાતની વ્યક્તિજીવનનો નાશ ન કરનારી સામાન્ય જવાબદારી શા માટે ન ઉઠાવવી જોઈએ ? તે સમજી શકાતું નથી. આ જાતની જવાબદારીનો દ્રોહ કરીને, દીક્ષાની જવાબદારીનો સ્વીકાર કરવા માંગતો હોય તો તે જવાબદારી ઉઠાવવાને તેણે દેખાડેલી કાયરતાને લઈને નાલાયક છે.” * “જો તેઓ પ્રાચીન સંસ્કૃતિનો અર્વાચીન સંસ્કૃતિ સાથે સુમેળ સાધી ન જ શકે, તો તેઓએ સ્પષ્ટ સમજી લેવું કે મોડાવહેલા પ્રાચીન સંસ્કૃતિએ મર્યે જ છૂટકો.” * “x x x નવા વિચારો વીજળીની માફક ફેલાયા કરે છે. તે વીજળીનો ઉપયોગ કરતાં સાધુસમુદાયે શીખવું જ પડશે.” તેઓએ જાણવું જોઈએ કે દેહ એ દુર્ગંધસ્થાન છે એમ કહેવું એ તદ્દન અયોગ્ય છે. સત્ય તો એ છે કે આત્મદેવને માટે એ પવિત્ર જંગમ અને જીવતું મંદિર છે. આત્મદોષનું તીર્થ છે. તેની આશાતના કરનાર આ દેહતીર્થની આશાતના કરે છે. જંગમ તીર્થની અવગણના કે ઉપેક્ષા, એ તીર્થની ભયંકરમાં ભયંકર આશાતના છે.” * તા. ૨૮-૧૦-૨૯ ‘સાંજ વર્તમાન', શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા નં. ૧૬. સુષુપ્ત સમાજ અસહ્ય સ્મશાનશાંતિ શારીરિક સંપત્તિનો નાશ અને સાધુઃ x x x x “સાધુઓથી અખાડામાં હાજરી અપાય કે નહિ ? તેને ઉત્તેજન અપાય કે નહિ ? આપણે તો સ્પષ્ટ સમજવું પડશે, ને એટલો તો સ્પષ્ટ નિર્ણય

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598