________________
01 – ૧૭: સંઘ કોની પડખે રહે? - 17 - ૨૦૧ બદલે કુનયનું પૂજારી થઈ જાય છે કારણ કે એક જ દેશીય માન્યતા એ કુનયનું સ્વરૂપ છે.
એક એક દેશને જ પકડવાથી તે તે દર્શનોની પ્રભા ઝાંખી જ હોય છે. સર્વદેશીય માન્યતાના સ્વીકારથી સુંદર અને સર્વપ્રધાન શ્રી વીતરાગ પરમાત્માના દર્શનરૂપ સૂર્યના ઉદયની સાથે જ એક એક દેશીય માન્યતાથી જ સ્થાપિત થયેલ દર્શનો, ક્ષુદ્ર હોવાથી આપોઆપ જ ગ્રહોની માફક પ્રભાહીન થઈ જાય છે. નયાભાસોની માન્યતા ગ્રહોની માફક ત્યાં સુધી જ પ્રકાશિત રહે, કે જ્યાં સુધી સર્વ સુનયોથી પરિમંડિત શ્રીસંઘરૂપ સૂર્ય ઉદય ન પામે.
શ્રી જિનેશ્વરદેવનું પ્રવચન માન્યા પછી “આ પણ ઠીક અને તે પણ ઠીક એમ ન જ થાય. એક અંશથી વસ્તુનો સ્વીકાર પણ વસ્તુના બાકીના અંશોની અવગણના કરવાથી અસત્યની કોટિમાં જ જાય છે. આ માણસ દીકરાવાળો હોવાથી બાપ છે એમ કહેવાય, પણ આ માણસ બાપ જ છે એમ તો ખોટું; કેમ કે તે પોતાના પિતાનો દીકરો પણ છે અને પોતાની પત્નીનો પતિ પણ છે. એક - ‘જ' કારથી આખી વસ્તુ ફરી જાય છે. “ઘડામાં પાણી ભરાય છે', એ ખોટું નથી, પણ “ઘડામાં પાણી જ ભરાય છે એ ખોટું છે; કેમ કે દૂધ, દહીં અને ઘી વગેરે પણ તેમાં ભરાય છે. એકાંત અને અનેકાંતમાં આવો ભેદ હોય છે. છે. એવી જ રીતે “અઢાર વર્ષની વય સુધી દીક્ષા ન જ દેવાય” એ ખોટું, પણ અઢાર વર્ષની વય સુધી દીક્ષા ન પણ દેવાય” એ સાચું. નાલાયક હોય તો ન પણ દેવાય; અઢાર શું પણ અઠ્ઠાવન વર્ષનો હોય તો પણ નાલાયકને ન દેવાય. તેમ આઠ વરસનાને દીક્ષા દેવાય જ' એમ પણ નહિ. યોગ્ય હોય તો દેવાય” યોગ્ય હોય તોં આઠ વર્ષે પણ દેવાય અને અયોગ્ય હોય તો અઠ્ઠાવન વર્ષે પણ ન દેવાય; લાયકને દેવાય અને નાલાયકને ન દેવાય.
આથી વસ્તુને એકાંત પકડવી એ હિતકર નથી, કારણ કે-વસ્તુને એકાંત પકડવાથી એ ખોટી થાય છે. એ ખોટાના નાશ માટે શ્રી જિનેશ્વરદેવનું શાસન છે. એશાસનને પામેલો બધે સ્થાને હાજી કેવી રીતે ભણે ? કહેવું જ પડશે કે ન જ ભણી શકે. દરેક દર્શનના અંશો ખોટા નથી, પણ એમણે “જ” કાર માન્યો માટે એ ખોટા બની જાય છે. આત્મા નિત્ય એ વાત પણ સાચી અને અનિત્ય એ વાત પણ સાચી, પણ નિત્ય જ કે અનિત્ય જ, એ વાત ખોટી. બાકી એ દર્શનના અંશો માન્ય છે, માટે તો કહ્યું કે –
ષટું દર્શન જિન અંગ ભણીજે.” શરીરને હાથ, પગ, નાક, બધું છે. પણ આખા શરીરને કોઈ હાથ જ