________________
207 – – ૧૭ઃ સંઘ કોની પડખે રહે ? - 17 - – ૨૦૭ વસ્તુને ખોટી કહેવાય કેમ ? એટલે પાછો વિરાગી કહે કે “એવો રિવાજ વ્યવહારમાં પણ નથી. ઝેર ખરાબ જાણીને જ નથી ખવાતું, કાંઈ એનો અનુભવ કે અખતરો કોઈ કરતું નથી.” એટલે તરત કહી દે કે “ગમાર ! એવી ખોટી દલીલ હોય ? જા ! જા ! તને વાત કરતાં પણ નથી આવડતી. તું દીક્ષાને માટે નાલાયક છે !” આવાઓ પરીક્ષક કેમ બની શકે ? કહેવું જ પડશે કે “ન જ બની શકે.' હીરાની પરીક્ષા ઝવેરી જ કરે:
ખરેખર, વાણીસ્વાતંત્ર્ય, વર્તનસ્વાતંત્ર્ય, વિચારસ્વાતંત્ર્ય કોને કહેવાય એનો પણ તેઓને ખ્યાલ નથી, શાસ્ત્ર તો કહે છે કે “તત્ત્વવેદી તે કહેવાય કે જેને ખોટો વિચાર જ ન આવે; કદાચ વિચાર આવી જાય તો પણ એને બહાર તો ન જ મૂકે; કદાચ તેવો વિચાર બહાર મુકાઈ જાય તોયે એનો અમલ તો તે ન જ કરે ! જો તે તેવા વિચારનો અમલ કરે તો એનું તત્ત્વવેદીપણું નાશ પામી જાય છે.” આ તો એવી વાતો કરે છે કે – “એમના જ વિચારો એમને જ ગળે વળગે છે.” .
જામનગરની તથા પાટણની કાર્યવાહીનો એક પુણ્યવાન બચાવ કરે છે કે . “એ કાર્યવાહીમાં અમારા સિદ્ધાંતને બાધ નથી, માટે અનુમોદન કરીએ છીએ.” પણ એવા અનુમોદનની કિંમત શી ? કારણ કે “જેવી જાતના ભેગા થાય તેવા અવાજ નીકળે એ તો નિયમ જ છે.” - સ્વતંત્રતાની વાતો કરનારા પોતાને માટે ઇચ્છાનુસાર વર્તવાની છૂટ માગે છે અને બીજાઓને ના પાડે છે, એમનો આ સ્વતંત્રવાદ કેવો?
એમને સંયમ ન ગમે તો ભલે પણ લેનારને આડખીલી શું કામ કરે ? પોતાને પૂજા ન ગમે તો ન કરે, પણ પૂજા કરનારને કનડે શું કામ ? ખરેખર, શબ્દો સિવાય સ્વતંત્રતાનો વાદ છે જ ક્યાં ?
એ લોકો કહે છે કે – “દરેક આદમીએ બાળકને છૂટ આપવી જોઈએ !” કબૂલ, પણ કેવી છૂટ ? ન આપવા લાયક આશ્રવમાં છૂટ અને સંવરમાં નહિ, એનું શું કારણ ? જેમની પાસે કોઈ સંયમ લેવા આવે છે, એમના ઉપર તો આગમનો અને વેષનો અંકુશ પણ છે; અંકુશ આઘો કરે તો ચાર જણ કહેનાર । तावत् तत्त्वविदुषामेष मार्गों यदुत तेषां कल्याणाभिनिवेशितया निष्प्रयोजनी विकल्पो न चेतसि विवर्त्तते, अथ कदाचिदभावितावस्थायां विवर्तेत तथापि ते न निनिमित्तं भाषन्ते, अथ कदाचिदतत्त्वज्ञजनान्तर्गततया भाषेरन् तथापि न निर्हेतुकं चेष्टन्ते, यदि पुनस्ते निष्कारणं चेष्टेरन् ततोऽतत्त्वज्ञजनसार्थादविशिष्टतया तत्त्ववित्ता विशीर्येत ।
- ઉપમિતિભવપ્રપંચ કથા, પ્રસ્તાવ-૧