________________
૧૯ : સંસારરસિકને શાસ્ત્રો ન ગમે – 19
સોનું કે માટી મળવા ગયાં હતાં ? નહિ જ, મળેલાં છે જ. ખાણમાંથી નીકળ્યું ત્યારે દેખાય તો માટી, પણ કારીગરે કહ્યું કે, ‘માટી દેખાય છે પણ એમાં માલ છે. કાઢતાં આવડે તો કઢાય.’ સોનાના અર્થીએ પૂછ્યું કે, ‘શું કરવું જોઈએ ?’ એનો કારીગર માંગે તે બધું હાજ૨ ક૨વું જોઈએ. અગ્નિમાં પણ નાંખે, ટીપે, બધું જ કરે, પણ એને ના પડાય? નહિ જ, કારણ કે, માટી બળી જાય ત્યારે કંચન સો ટચનું થાય અને પરિણામ અલંકારરૂપ પણ થાય. એ જ રીતે આત્મા પણ ત્રણે લોકમાં અલંકારરૂપ ક્યારે થાય ?
સભા અંતરાત્મા થાય ત્યારે.
અને મુકુટ ક્યારે થાય ?
સભાઃ પરમાત્મા થાય ત્યારે.
227
૨૨૭
હવે સમજ્યા. માટીની સાથે સોનું મળ્યું કેમ ?' એમ કોઈ પૂછે તો એનો ઉત્તર નથી. સર્વજ્ઞદેવ પણ કહે છે કે, ‘એવી વાતોના ઉત્તર ન હોય; સ્વયં જ્ઞાની થઈને જુઓ !'
‘સંયમમાં સુખ શું ?’ એ પ્રશ્નનો જવાબ એક જ કે, ‘રાગ તજી વિરાગના સુખનો અનુભવ કરોતો ખબર પડે.' દુનિયા પણ કહે છે કે, ‘અનુભવીનાં કામો અને અનુભવીની વાતો, અનુભવી જાણે.’ ‘વૈરાગ્યમાં સુખ શું ?’ એ જાણવું હોય તો શાસ્ત્રકાર કહે છે કે, ‘રાગ છોડીને વિરાગી બનો.' રાગીની સાહ્યબીમાં જે સુખ ન હોય, તે સુખ વિરાગીને કાયમ હોય.
માંટીમાં મળેલું સોનું કારીગરના હાથમાં આવે તો સોનું થાય. કારીગરને કોઈ પૂછે કે, ‘માટીમાં ભળ્યું કેમ ?' એ કહે કે, જેમ ભળે તેમ ! ખાણમાં જઈને જો !’ પૂછનાર ફરી પૂછે કે, ‘ખાણમાં ક્યાંથી આવ્યું ?' પેલો પણ કારીગર છે. કહી દે કે, ‘પાતાળમાં જઈને જોઈ આવ !' કારીગર કહી દે કે, ‘આમાં માલ છે. સોનું છે. સામગ્રી લાવ તો સોનું કાઢી આપું !' કારીગર માંગે તે સામગ્રી દેવાય અને પછી એ જે ધામધામ કરે, તેમાં વચ્ચે ન અવાય કે ન બોલાય.
સભા એ ખાઈ જાય તો ?
શાહુકાર કારીગરની વાત કરીએ છીએ; લૂંટારા કારીગર પાસે જવાની સલાહ કોઈ આપતું નથી.
એ સોનામાં કચરો ઘણો હતો, તે કારીગરે કાઢી નાંખ્યો; અગ્નિમાં નાંખી · મેલ બાળીને, ક૨વા યોગ્ય બધી ક્રિયાઓ કરીને, સો ટચનું સોનું બનાવ્યું. એ જ રીતે આત્માની અનંત શક્તિ છે એ વાત સાચી, પણ એ શક્તિ જડના સંયોગમાં