________________
૩૧ ઃ સમ્યગ્દર્શન ઉપર મોક્ષનું મંડાણ વીર સં. ૨૪૫૬,વિ.સં.૧૯૮૬, પોષ સુદ ૧૪+૧૫. મંગળવાર, તા.૧૪-૧-૧૯૩૦
નિર્મળ ધર્મ : દૃષ્ટિકોણ ફેરવો ! ધર્મ એ જ આધાર : ફરજ સમજો !
સંસારસાગરની નૌકા : • મહાપુરુષના નામનો દુરુપયોગ : • સમૃદ્ધિશાળી છતાં વીતરાગ :
લબ્ધિધારી છતાં તે તરફ વિરક્ત :
માતા-પિતા શરીરનાં કે અત્મિાનાં : • સમકિતીની આ દશા હોય ? • અજ્ઞાનીઓના વિરોધ સામે પહાડ જેવા બનો !
ધર્મના પાંચ આશય : કોઈ રડે કે લડે એથી દીક્ષા બંધ ન કરાય :
પરસ્પરના આત્માની ચિંતા કરો ! • સાસુ-વહુનો વ્યવહાર :
નિર્મળ ધર્મ:
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, ફરમાવે છે કે શ્રી મેરૂ પર્વતની જેમ, શ્રીસંઘરૂપ મેરૂની પણ સમ્યગુદર્શન રૂપ પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. સમ્યગદર્શન, એ મોક્ષનું મુખ્ય અંગ છે. મોક્ષની સાધના માટે એના વિનાની કોઈ પણ વસ્તુ ઉપયોગી નથી. એ આવે તો બધી કાર્યવાહી સ્થિર થાય અને એમાં પોલાણ હોય તો બધી કાર્યવાહી પણ પોલી થાય !
સભાઃ સમ્યગ્દષ્ટિની પરીક્ષા શી ?
પરીક્ષા ઘણીયે છે, પણ કોઈની પરીક્ષા કોઈથી કદાચ ન થાય તો પણ પોતે તો પોતાની પરીક્ષા કરી જ શકે ને ? દઢતાદિકની વાત તો દૂર રહો; પણ