________________
475 - ૩૭ : શાસન પંચાંગીથી જ પ્રાણવાન ! - 37 - ૪૭૫ આપણે જોઈ ગયા કે, “પોતાની મતિની દુર્બળતા, તેવા પ્રકારના સમર્થ જ્ઞાની મહર્ષિઓના સંયોગનો અભાવ, શેય વસ્તુને સિદ્ધ કરવા માટે હેતુ તથા દૃષ્ટાંતનો અસંભવ' આ પાંચ શંકા થવાનાં કારણો છે. તે કારણો લક્ષમાં લેવા અને વિચારવું કે, “આ પાંચ કારણે મને વસ્તુ ન સમજાય તેવી વસ્તુ નથી, અગર ખોટી છે, એમ ન કહેવાય. કેમ કે, શ્રી જિનેશ્વરદેવ નિઃસ્વાર્થ ઉપકારી હતા, સર્વજ્ઞ હતા, રાગ, દ્વેષ અને મોહને સર્વથા જીતનારા હતા; માટે એ ખોટું તો ન જ બોલે, ખોટું તો એમના મુખમાંથી ન જ નીકળે.”
વસ્તુસ્થિતિ આ પ્રકારની હોવા છતાં પણ પોતાની મતિમાં જ સર્વસ્વ માનનારને આવા વિચારો ન જ થાય; એ અજ્ઞાની તો એમ જ વિચારે કે, અમારી મતિ તે દુર્બળ હોય ? અમારે વળી જ્ઞાનીઓનો સહવાસ કરવો પડે ? અમે ગંભીર કે વસ્તુ ગંભીર ? અમે હોશિયાર છીએ તો વસ્તુની ગંભીરતા સમજવામાં હરકત શી ? હેતુ તથા દૃષ્ટાંતો કેમ ન મળે ?' આવું વિચારનારા પોતાને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય તો માને જ શાના ? ન જ માને. પોતાની જ મતિ ઉપર મદાર બાંધનારા આ વસ્તુ સ્વીકારી શકે તેમ નથી જ, એટલે આ વાત તો પ્રભુના શાસનમાં રહેવા ઇચ્છનારાઓ માટે જ છે. સર્વજ્ઞની એક વાત પણ ન માને તે મિથ્યાદષ્ટિ !
યોગ્ય આત્માઓને પ્રભુશાસનના સંપૂર્ણ શ્રદ્ધાળુ બનાવવાના ઇરાદાથી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા કહે છે કે, સૂત્રમાં કહેલા એક પણ અક્ષરને જે ન સદ્દયે તે મિથ્યાદૃષ્ટિ છે.” ઉપકારીઓના આ કથનથી શ્રદ્ધાળુ થવાને બદલે જેઓ પોતાની મતિ કલ્પના ઉપર જ જીવવા માંગે છે, તેઓ તો ઊલટા અશ્રદ્ધાળુ જ બને છે અને ઉપરથી કહે છે કે, “કેવી સુંદર જાળ રચી છે મિથ્યાષ્ટિ બનાવવાની ?” ' અરે ! આવી સુંદર વસ્તુને લઈને પણ એ લોકો પૂર્વાચાર્યો ઉપર એવું કલંક મૂકે છે કે, “આ રીતે જગતને ભરમાવ્યું !” આવી સુંદર વસ્તુને એ લોકો દુનિયાને ફસાવવાની જાળ કહે છે !!! આથી જ કહેવું પડે છે કે, એવાઓના હૃદયમાં આવી સાચી વાત પણ નહિ જ ઊતરે; બાકી જો વિવેકદૃષ્ટિથી વિચારવામાં આવે, તો એ વાત તો ખરી જ છે કે, આખી વસ્તુના એક અંશને પણ ન માનીએ તો આખી વસ્તુ જ ઊડી જાય છે. માત્ર મૂળસૂત્રને જ માનવાથી ન ચાલે ! ' તત્ત્વો નવ છે અને એની પણ પરસ્પર સંકલના છે, એટલે એમાંનું એક પણ તત્ત્વ ન માનીએ તો આખુંયે ગાડું અટકે. જેના કથનમાં પરસ્પર