________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
એ કહે એ મૂર્ખાઈ છે અને એમાં અમારે હાજી ભણવી, એ વળી ભયંકર બેવકૂફી છે; પણ આજે તો પ્રાયઃ એ જ દશા થઈ રહી છે ! અન્યથા ઉન્મત્ત અજ્ઞાનીઓ ‘આજના જમાનામાં આ ન ચાલે, આ ન હોય, આમ જોઈએ' આમ કહે અને એ બધામાં પ્રભુશાસનના વેષમાં રહેલા માનાકાંક્ષીઓ ‘બરાબર ! બરાબર !' એમ કહે, એમ કેમ જ બનત ? ઊલટું એવાઓની સામે પ્રભુશાસનના પૂજારીઓએ એમ જ કહેવું જોઈએ કે, ‘એમ ન બોલ !’ એમ બોલ કે-છે તો બધું યોગ્ય, અને એને અમલમાં મૂકનારા પણ છે, હું કમનસીબ કે નથી પાળી શકતો.
૪૭૦
470
ચોથા આરામાં પણ જેમ સંયમ પાળનારા હતા તેમ નહિ પાળનારા પણ હતા, પણ ‘હું ન પાળું માટે બીજા કેમ પાળે ?' એમ કોઈએ કહ્યું છે ?' શ્રી કૃષ્ણ - મહારાજાએ પણ ‘મારા જેવો વીર ન પાળી શકે માટે બચ્ચાંથી કેમ પળાય ?' એમ નથી કહ્યું. અઢાર હજાર મુનિને વાંદ્યા, પણ એમને જોઈને ‘આવા બધા એટલે કાયાબળથી હીનને ક્યાં ભેગા કર્યા છે' એમ ભગવાનને કહ્યું ? ‘મારા જેવો વીર ન પાળે તો આ શું પાળે ?' એમ નથી કહ્યું ! પણ આજનાઓ તો જુદી રીતે પણ કહે છે કે ‘અમે ઘરડા, ભણેલા-ગણેલા, ખુરશી ભાંગનારા, અમે ન પાળી શકીએ તો બચ્ચાં કેમ પાળે ?' વિચારો કે, આ વાત બરાબર છે ? કહેવું જ પડશે કે - નહિ.
શ્રી ભરત મહારાજાના નાના ભાઈઓએ દીક્ષા લીધી, ત્યારે ભરતે કહ્યું કે, ‘બાપના ખરા દીકરા તે, હું નહિ.' પણ ‘હું ન લઈ શકું અને એ કેમ લઈ શકે ?' એમ ન કહ્યું. શ્રી ભરત મહારાજાના દીકરા ગણધર થયા. બાપ બૈસી રહે અને દીકરા ગણધર થાય, એ બને કે નહિ ? તો પછી આજના કહે છે કે, ‘અમે ન પાળીએ ને આ પાળે એ શું ?' એ જ કે, ‘મોહનો ચાળો.’.
શાસ્ત્રમાં પણ શિષ્ય એવી જ જાતનો પ્રશ્ન કરે છે, ત્યાં ગુરુ પણ એવા જ આશયનું સૂચવે છે કે, ‘પામર ! તારી અશક્તિનો આરોપ આગમની વાતોમાં ન કર. તારાથી નથી પળાતું એમ કહે, પણ કોઈ ન પાળી શકે એમ ન કહે : કારણ કે, અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ અનંતાઓએ પાળ્યું, સંખ્યાબંધ પાળે છે અને પાળશે.
ચક્રવર્તીના જમાનામાં ચક્રવર્તી ન પામી શક્યા અને ભિખારી પામી ગયા. રાજા રહી ગયા અને રંક પામી ગયા. શેઠિયા ન સાધી શક્યા અને નોકર સાધી ગયા : પણ ‘હું ન પાળું અને નોકર કેમ પાળે ?’ એમ શેઠે ન કહ્યું અને કહે તો સમજુ કહી દે કે, ‘તમે લોભિયા છો માટે ધર્મ નથી સાધી શકતા, આ તો પચાસમાં સંતોષ માને છે માટે ત્રિકાળ પૂજન, ઉભય ટંક આવશ્યક અને