________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
પણ મર્યાદાને લઈને અહીં ન જ ખાય. એવી ઉત્તમ મર્યાદા, હિતના નામે પણ કેમ જ તોડાય ?
૪૭૮
468
તમારા કહેવાથી અંતરાય ન લાગે ઃ
કોઈ એમ કહે કે, ‘મહારાજ ! મને તલપ લાગી છે માટે બીડી પીવાની છૂટ આપો, નહિ તો બહાર જઈશ, એથી સાંભળવાની ઇચ્છા છતાં મને લાભ નહિ મળે અને એ અંતરાયના ભાગીદાર તમે બનશો.’તો મારે એવા ઉલ્લંઠને તો કહેવું જ પડે કે, તારા જેવાના કહેવાથી અંતરાય લાગે એમ હું માનતો જ નથી, એથી સંભળાવવા ખાતર પણ આવા પાપની આવી છૂટ આપવા તો હું તૈયાર જ નથી. . .
કેટલાંક ઇતર સ્થાનોમાં જુઓ તો દેખાશે કે, ‘કથા પણ ચાલતી હોય અને પાન-બીડી પણ ચાલુ હોય.' પણ આ સ્થાનમાં કાંઈ જ નહિ. એમાં જૈનશાસનની સુંદર મર્યાદાનો જ મહિમા છે. જૈનશાસનની એ જ ખૂબી છે કે, એમાં મંદિરમાં, ઉપાશ્રયમાં, ધર્મસ્થાનમાં કશી જ સંસાર-પોષક ગરબડ જ નહિ. એવો કશો જ ઘોંઘાટ નહિ, મંદિરમાં ખાવાપીવા વગેરેની બધી જ મનાઈ છે. તેમ ઉપાશ્રયમાં પણ એવું જ.
દુનિયાનાં સઘળાં સ્થાનમાં ફરી આવો, આવી ઉત્તમતા બીજે નહિ જ મળે. વળી વિચારો કે, અહીં જ બીડી પીનારા બેસે, આંખ આગળ જ બીડી પીએ અને એમને બીડી પીવામાં પાપ હું બતાવું, તો શું એની એમને અસર થાય ? શંકાથી કેમ બચાય ?
પ્રભુશાસનની દેશનામાં તો બધું તજવાની જ વાત છે, શરીર સુધ્ધાં પણ તજવાની જ વાત છે, ત્યાં પાન, બીડી, ચા વગેરેની છૂટ કેમ જ હોય ? ત્યાગની વાત ચાલે અને એ ત્યાગ જો એ વ્યાખ્યાન ચાલે ત્યાં સુધી પણ અમલમાં ન હોય, તો ભવિષ્યનાં પચ્ચખ્ખાણ પણ કરનાર કેમ જ કરે ? આથી સમજો કે, વીસમી સદીના વિષયવિલાસીઓ માટે શાસનની એક પણ ઉત્તમ નીતિ-રીતિ ન જ ફેરવાય.
વીસમી સદીના વાયરા જોઈને તેને બાધ ન પહોંચે તેવી ધર્મદેશના ન જ દેવાય. જો એમ દેવા બેસું, તો મને તો કંપારી જ થાય ! કારણ કે, ધર્મની ભાવના સાંભળવા કરતાં દુનિયાના પદાર્થો સાંભળવાની ઇચ્છા ઘણાને છે. હવે એવાઓની ઇચ્છા જોઉં તો વૈરાગ્યની વાત જ ન થાય ! વૈરાગ્યની વાતને તો તાળું જ દેવાય ! શું આમ થાય એ યોગ્ય છે ? નહિ જ, તો તો પછી તમને જ જોઈને બોલું તો તો બોલવાની સ્થિતિમાં ફેરફાર અવશ્યમેવ થાય.