________________
૨૯ : સંસારની અરુચિ અને મોક્ષની રુચિ - 29
૩૬૯
બંનેય પત્નીઓએ વિચાર્યું કે, “આજે અમારા પતિ રાજકુળમાં ગયા છે, તેઓ આજની આખી રાત્રી ત્યાં જ પસા૨ ક૨શે, તેથી આજે ઇચ્છા મુજબ મદિરાનું પાન કરીએ.” આ પ્રમાણે વિચારીને તે બંનેએ મદિરાપાન કર્યું અને એના મદની વિવશતાથી વસ્ત્રહીન થઈને તેઓ બીજા માળની ઉપર જઈને સૂઈ ગઈ. આ બાજુ પ૨૨ાષ્ટ્રનો દૂત આવવાથી રાજાનું ચિત્ત વ્યાક્ષિપ્ત થયું અને તેથી, ‘અત્યારે અવસર નથી' એમ કહીને રાજાના પ્રતિહારે નાટ્યકારોને પાછા ચાલ્યા જવાની રજા આપી; આથી સઘળાય નાટ્યકારો પોતપોતાના મકાને
પાછા ગયા.
369
--
અષાઢાભૂતિ પણ પોતાના આવાસે આવીને જેવા બીજા માળે ગયા, ત્યાં જ તેણે વસ્ત્રરહિત હોવાથી બીભત્સ દેખાતી પોતાની બંનેય ભાર્યાઓને જોઈ. જોતાંની સાથે જ મહાત્મા અષાઢાભૂતિએ વિચારવા માંડ્યું કે -
“અશુચિના કરંડિયા જેવી અને અધોગતિમાં કારણરૂપ એવી આ સ્ત્રીઓના કારણે મેં જે આ પરમપવિત્ર, આ લોક અને પરલોકની કલ્યાણ પરંપરાને પેદા કરનાર અને વિના વિલંબે મુક્તિપદને અપાવનાર એવા સંયમનો ત્યાગ કર્યો, તે મારી મૂઢતા પણ ખેદજનક છે, મારી નિર્વિવેકતાય ખેદજનક છે અને મારું બધું-દુર્વિલસિત પણ ખેદજનક છે. અસ્તુ. હજુ પણ મારું બધું જ નાશ નથી પામી ગયું, તો હજુ પણ હું પૂજ્ય ગુરુદેવની સેવામાં જાઉં, ચારિત્રને અંગીકાર કરું અને પાપરૂપ પંકને ધોઈ નાખું.”
આ પ્રમાણે વિચારીને અષાઢાભૂતિ ઘરમાંથી નીકળી ગયા. આને નીકળતાં અચાનક જ વિશ્વકર્માએ જોઈ લીધા અને ઇંગિત આદિથી જાણી લીધું કે, ‘વિરક્ત થઈને આ ચાલ્યો જાય છે.' એટલે એકદમ તેણે પોતાની પુત્રીઓને ઉઠાડી અને તિરસ્કાર કરતાં કહ્યું કે, “હીનપુણ્ય દુરાત્માઓ ! તમારા આવા પ્રકારના વિલાસને જોઈને સકલ નિધાનભૂત તમારો પતિ વિરાગી થઈને ચાલ્યો જાય છે, માટે જો તેને પાછો વાળવાની તમારામાં શક્તિ હોય તો તેમ કરો અને જો તે શક્તિ ન હોય તો તેની પાસે આજીવિકાનું સાધન માંગો.”
આ પ્રમાણેના પોતાના પિતાના કથનને સાંભળીને તે બંનેએ સંભ્રમપૂર્વક વસ્ત્રો પહેરી લીધાં અને એકદમ પાછળ દોડીને, સંયમપંથે જઈ રહેલા પોતાના
૧. “ગો ! મે મૂતા, અહો ! મે નિર્વિવેતા, અને ! મે યુવિજ્ઞપ્તિત, ય તાદૃશામપ્યશુચિकरण्डकभूतानामधोगतिनिबन्धनानां कृते परमशुचिभूतमिहपरलोककल्याणपरम्पराजनकमक्षेपेण मुक्तिपदनिबन्धनं संयमं उज्झांबभूव, ततोऽद्यापि न मे किमपि विनष्टमद्यापि गच्छामि गुरुपादान्तिकं, प्रतिपद्येचारित्र" प्रक्षालयामि पापपङ्कमिति" ।