________________
૨૯૮
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 298. વેપારના વિચાર કરવા હોય તો “વેપારી કોન્ફરન્સ” એવું નામ રાખો !. જેને જાતિના વેપારીઓ વેપારોની વ્યવસ્થા કરવા એકત્રિત થાય છે' એમ સહુ કોઈ સહેલાઈથી સમજી શકે, તે માટે “જૈન વૈપારી કોન્ફરન્સ” એવું નામ રાખો ! વેપાર સિવાયના બીજા સંસારસુધારા કરવા હોય તો “સંસારસુધારા કોન્ફરન્સ” એવું નામ રાખો !
આજે હિંદુસ્તાનમાં મહાસભા કેટલી ચાલે છે ? દેશની મહાસભા તો છે જ. સિવાય હિન્દુ મહાસભા જુદી થઈ છે. સંસારસુધારા પરિષદ જુદી, વૈદ્યક સંમેલન જુદું, એ બધાં અલગ છે ને ! મહાસભાને પણ કહેવું પડ્યું કે, બધો ડખો ભેગો અહીં નહિ, અહીં તો બ્રિટિશ રાજ્યની સામે કેમ ઊભું રહેવું, એ જ એક . વિષયની વાટાઘાટ થાય.
પ્રસિદ્ધ છે કે, મહાસભા ભરાણી ત્યાં એક જ શહેરમાં જુદી જુદી છપ્પન્ન સભાઓ ભરાણી, તેમ તમે પણ એ રીતે જુદી જુદી સભાઓ ભરો, પણ નામ : જુદું અને કાર્યવાહી જુદી કરી, અક્કલનું લિલામ કરાવવું, એ કોઈપણ રીતે હિતાવહ નથી; કારણ કે, જે નામની સંસ્થા હોય, તે સંસ્થાના ઉદ્દેશો તો જળવાવા જ જોઈએ !
સરકાર એક પણ તેનાં ખાતાં અનેક છે. બધાની મેનેજમેન્ટ જુદી. કેટલાં ખાતાં ? મ્યુનિસિપાલિટી જુદી ઇન્કમટેક્સ, પોલીસ, ન્યાય, તમામ ખાતાં અલગ છે ને ? તેમ તમે પણ નામ ફેરવો, તો દુનિયા શંકામાં તો ન પડે !
વેપારને લગતા ઠરાવ કરવા હોય અને જૈને વૈપારી કોન્ફરન્સ નામ આપો, તો કોઈ મૂંઝાય જ નહિ. દુનિયા સમજે કે, જૈન વેપારીઓ ભેગા થયા હતા અને વેપારની વિચારણા કરી વિખરી ગયા. પણ જૈનશાસન સુધારવા ભેગા થાઓ, ત્યાં બીજા ઠરાવ થાય શી રીતે ? ગાંડાઓના કહેવાથી તકરાર ખાતર માનો કે, જૂના તો બધા અભણ, એટલે કદાચ એમને ખાતાં પાડવાની ગમ ન પડે, પણ “જેઓ પોતાને આજે ભણેલા, ગવર્નમેન્ટના કાયદાના જાણનારા, વિજ્ઞાનપદના અભ્યાસીઓ” તરીકે ઓળખે-ઓળખાવે છે, તેઓ શું આટલું ન સમજે ? એમનાથી આવો ખીચડો કેમ બફાય ?
જૈનસંઘ અને જૈનન્યાત ભેગી થાય, એમાં ફેર ખરો કે નહિ ? જૈન સંઘ ભેગો થાય ત્યાં પરણાવવાના ઠરાવ થાય ? નહિ જ. ત્યાં તો નવકારશીની રજા અપાય, અમુક સાધુને લાવવાની વાતો થાય, મૂર્તિ, મંદિરો તીર્થ, ધર્મક્રિયાના વિચાર થાય, પણ છોકરા-છોકરી પરણાવવાના વિચાર જૈન સંઘમાં કદી