________________
૧૮ : મહાપુરુષોના નામે મનફાવતું ન કરાય ! - 18
જિનમંદિરોથી રહિત ભૂમિને શ્રી જિનમંદિરોથી મંડિત બનાવી, તે પુણ્યપુરુષને, શ્રી જિર્નમૂર્તિ અને જિનમંદિરોનો ઉપહાસ કરતા પુસ્તકનું અર્પણ થાય અને તે અર્પણ કરનાર પોતાને તે પુણ્યપુરુષના શિષ્યો પાસે જ પંડિત મનાવે, તો એ માનનાર તે તે પુણ્યપુરુષના શિષ્યો કહેવાય કે શિષ્યાભાસો ?
219
_______
૨૧૯
પૂ. આત્મારામજી મહારાજનો એકરાર :
કુપંથનો ત્યાગ કરીને સુપંથમાં આવ્યા બાદ, એકવાર શ્રી સિદ્ધગિરિજી ઉપર જઈ ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીની મૂર્તિ સમક્ષ રોતે હ્રદયે જે પુણ્યપુરુષે ગાયું છે કે –
“દૂર દેશાંતરમેં હમન ઉપના, કુગુરૂ કુપંથકો ! જાલ પર્યો રે;
શ્રી જિનઆગમ હમ મન માન્યો, તબ હિ કુપંથકો જાલ ઝર્યો રે. અબ૦ ૩ “તો તુમ શરણ બિચારી આવ્યો, દીન અનાથકો શરણ દીયો રે; અબ૦ ૪. “મુજ સરીખા નિર્દેક જો તારો; તારક બિરૂદ યે સાચ લહ્યો રે. અબ૦૮.”
જે પવિત્ર પુરુષે આવા પ્રકારની વિનંતિ કરી છે, તે પુણ્યપુરુષને મૂર્તિના જ ખંડનનું પુસ્તક અર્પણ કરનાર વ્યક્તિને પંડિત માનવાની મૂર્ખતા ભરેલી ધૃષ્ટતા શિષ્યાભાસો સિવાય બીજા કોણ કરી શકે ?
જે પુણ્યપુરુષે, પોતાના ઉન્માર્ગનાશક અને સન્માર્ગસ્થાપક ઉપદેશથી અનેક તકલીફો વેઠીને, પંજાબ જેવી વિકટ વિહારભૂમિને પણ સુંદર સુવિહારને યોગ્ય બનાવી દીધી અને પોતાના વીસ વરસ જેટલા સમયમાં અનેક કુમતવાદીઓની એક પરમ પ્રભાવકને છાજે તે રીતે ખબર લીધી, પણ ખોટી ક્ષમા, શાંતિ કે સમતાના નામે મૌનનો સ્વીકાર ન જ કર્યો, તે જ પુણ્યપુરુષને નામે આજે દાંભિક શાંતિ, ક્ષમા અને સમાનતાની વાતો કરી પૂર્વાચાર્યોને ઇંદ્રજાળીઆ, અંગારા અને અહમિદ્રો' કહેનારા તથા શાસ્ત્રોને ફતવાશાસ્ત્ર કહી ભસ્મÆભૂત કરવાનું કહેનારા અને એવું કહેનારાઓની સહાય કરનારા તથા તેની પ્રશંસા કરનારાઓના ગુરુ તરીકે ઓળખાવવામાં માન સમજનારાઓને તે પુણ્યપુરુષના શિષ્યો કહેવાય કે શિષ્યાભાસો ? પૂ. આત્મારામજી મહારાજના નામે દંભ !
પ્રભુમૂર્તિનું ઉત્થાપન કરનારાઓની માર્ગપ્રણાલિકાનું ખંડન કરતાં અને મૂર્તિનું ઘોર અપમાન કરનારા પાપાત્માઓનું સ્વરૂપ ખુલ્લું કરતાં રાજદરબાર · (કોર્ટ)માં જવાનો સમય આવે, તેની પણ પરવા નહિ કરનારા મહાપુરુષને, મૂર્તિના ખંડનનું જ પુસ્તક અર્પણ કરવાની ધૃષ્ટતા કરનારને પંડિત માનવાની