________________
૧૧૦
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ –
- 110 શ્રીસંઘ નગરરૂપ બને, તો “આ યોગ્યતા” જોઈએ, ચક્રરૂપ બને તો “આ યોગ્યતા' જોઈએ અને રથરૂપ બને તો “આ યોગ્યતા” જોઈએ : આ યોગ્યતા વિના સંઘમાંથી કોઈ પણ વ્યક્તિ કોરી પોતાની જાતને તીર્થકર તરીકે મનાવી, મરજી મુજબ કોઈને દોરવા માગે તો દોરી શકે ? એવી રીતે દોરવાની તેને છૂટ છે ? હરગિજ નહિ ! કોઈ પણ વ્યક્તિને એવી છૂટ નથી. આ બધી યોગ્યતાની અવગણના કરી, પોતાની મરજી મુજબ કોઈને દોરવાનો કોઈ પણ વ્યક્તિને હક્ક નથી ! આમાં જણાવેલી યોગ્યતાવાળા શ્રીસંઘને કોણ ન માને ? કોણ ન પૂજે ? જે ન માને, ન પૂજે, ન સેવે તે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેવા લાયક નથી. પાપીને ધમ થવામાં સહાય કરે તે જ શ્રીસંઘ !
નગર તો આવે એને આશ્રય આપે, સંસાર છેદવાની ભાવના થાય એને ચક્ર તો સહાય કરે, પણ અરણ્યમાં ભટકતા, સાધનહીન, ચાલવાની તાકાત, વિનાના પણ મોક્ષમાં જવાની ભાવનાવાળાઓને; તો શ્રીસંઘ રથરૂપ બની, પોતામાં બેસાડી મોક્ષમાર્ગની મુસાફરી કરાવે-મોક્ષે પહોંચાડે. ધર્મ કરવા નીકળ્યો છે. માલ તો બળ્યો નથી, આવો છે, તેવો છે, કાંઈ બનતું તો છે નહિ.” આવું આવું શ્રી સંઘથી ન બોલાય. મોક્ષાર્થીની તો બધી જોખમદારી શ્રીસંઘ પોતે જ ઉઠાવે.
જે ધર્મ કરવા નીકળ્યો. તેની ખામી શોધવાનું કામ શ્રીસંઘનું નથી. એમાં ખામી કે ઓછાશ હોય, તે પૂરી કરવાનું કામ શ્રીસંઘનું છે. એને જોઈતી સામગ્રી શ્રીસંઘ પૂરી પાડે; એની તમામ આપત્તિ શ્રીસંઘ ટાળે; એનાં કલંકોને પોતાના ભોગે દૂર કરે : “એ આવો છે ને તેવો છે' એમ શ્રીસંઘ ન કહે, એમ કહેનારે વિચારવું જોઈએ કે-“પોતે કેવો છે ?'
શ્રી કૃષ્ણ મહારાજાએ દાંડી પીટાવી હતી કે-જેને પ્રભુના માર્ગે જવાની ઇચ્છા હોય તે નીકળે; એની પાછળની તમામ જવાબદારી મારે માથે છે.' આ જાહેરાતને કારણે હજારો આત્મા નીકળ્યા અને સંયમ સાધીને મુક્તિપદે ગયા.
આજના તો કેટલાકો કહે છે કે દુનિયાદારીમાં પૂરો પ્રવીણ હોય તે જ ધર્મમાર્ગને સાધી શકે; અર્થાતુ-જેણે શ્રીસંઘની પાસે પોતાનું મોક્ષમાર્ગનું અધિકારીપણું બતાવવું હોય, તેણે દુનિયાનું તમામ કરી છૂટવું જોઈએ અને એમ હોય તો જ સંઘ એને સર્ટિફિકેટ આપે !!! ગઈકાલ સવારનો ચોર આજે સારો ન બને, એમ એ લોકો કહે છે ! ક્ષણ પહેલાંના કરોડપતિને ભિખારી બનતો નજરે ભાળે છે, ક્ષણ પહેલાંના હરતા-ફરતાના મડદાને પોતાની નજરે નિહાળે