________________
૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15
૧૭૭
આસ્તિકના સ્વાંગમાં રહ્યા છે. અને એ રીતે આસ્તિકરૂપે ઓળખાઈને જ જેઓ શ્રી જિંનેશ્વરદેવોએ વિહિત કરેલ તારક અનુષ્ઠાનોનો નિષેધ કરે છે અને તેનો લોપ થાય તેવા તનતોડ પ્રયાસો કરે છે, તેઓ નાસ્તિકો છે અને શ્રીસંઘરૂપ ચંદ્રને ગ્રસિત કરવા માટે રાહુ સમાન છે. પણ શ્રીસંઘરૂપ ચંદ્ર લોકથી અલિપ્ત હોવાના કારણે લોકોત્તર હોઈને, તે નાસ્તિકરૂપ રાહુઓથી ગ્રસિત થાય તેમ નથી. પણ જે સમયે તેવા નાસ્તિકો ગ્રસિત કરવાના પ્રયત્નો ધમધોકાર ચલાવતા હોય, તે સમયે શ્રીસંઘરૂપ ચંદ્રની હયાતીમાં જ જે પોતાનું કલ્યાણ માનતો હોય તે, કેટલાકો કહે છે તેવી ચુપકીદી કદી પકડી શકે નહિ. શ્રીસંઘરૂપ-ચંદ્રની હયાતીમાં જ પોતાનું શ્રેય સમજનારો તેવાઓ સામે પડકાર કર્યા વિના રહે જ નહિ.
177
ધર્મક્રિયાઓના નાશૂ સમયે કે તેના તંરફ વધતી જતી બેદરકારીના સમયે કઈ રીતે મૌન રહી શકાય ? આટલી મોટી વસ્તીમાં પૌષધ કેટલા કરે છે ? પ્રતિક્રમણ કેટલા કરે છે ? પૂજા કેટલા કરે છે ? આવા વખતે કોઈ કહે ‘પૌષધમાં શું પડ્યું છે ?’ આવાને કહી દેવું જોઈએ કે - ‘ભાઈ ! તારી પાસે શું પડ્યું છે ?’ આવાને બીજું કહેવું પણ શું ? આ તો વાતવાતમાં ‘હશે હવે’ – એમ કહીને વાત ટાળવા મંથે છે, પરંતુ આવા વખતે એ ન ચાલે.
-
• આજનાઓ કહે છે કે ‘અત્યારે આ ધર્મક્રિયાઓની જરૂરત નથી; બસ ! આગળ વધો ! પહેલાં પૈસો મેળવો, પહેલાં અમુક ગામમાં આટલા કરોડપતિ હતા, આટલી ઋદ્ધિસિદ્ધિ હતી, આજે નથી માટે પહેલાં કરોડપતિ બનો !' પણ કરોડપતિ બનતાં શું થશે એની તે ભાનભૂલાઓને ખબર છે ? પહેલાંના કાળમાં પણ મોટી ઋદ્ધિ-સિદ્ધિવાળા તો થોડા જ હતા, તે પણ કમઅક્કલો વિચારી શકે છે ? નહિ જ.
• ખરેખર આસ્તિકના હાથમાં કમળ નથી ઊગતું અને નાસ્તિકના માથે શિંગડાં નથી ઊંગતાં, એની પરીક્ષાની રીત તો ટીકાકાર મહર્ષિએ સ્પષ્ટ બતાવી દીધી છે કે - જેઓ હાર્દિક આદરપૂર્વક પરલોકની ક્રિયાને પ્રધાનપદ નથી આપતા અને જેઓ પરલોકની ક્રિયાને કિંમત વિનાની મનાવી, તે ક્રિયાઓની સામે આરંભાદિક દુન્યવી ક્રિયાઓને પ્રધાનપદ આપે છે તે બધા નાસ્તિક છે. જ્યાં કેવળ પરલોકની ક્રિયા સુધારવાનું વિધાન છે અને પરલોકની ક્રિયામાં આ લોકનું પણ હિત મનાયું છે, ત્યાં જે પરલોકની ક્રિયાને ઉખેડી નાંખવાની જ મહેનત કરે અને આ લોકની આરંભાદિક ક્રિયાઓને જ વધારે, તે આસ્તિક કઈ રીતે કહેવાય ? ખરેખર તો તે નાસ્તિક જ છે.