________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
એમ માનનારો સદાચારમાં ટકે ખરો ?‘ઇચ્છા થાય તો ગમે ત્યારે ખાવામાં હરકત નથી’ એમ માન્યું એ તપ કરે ? આ ત્રણ ગયા પછી ભાવના ૨હે ક્યાં ? ઇચ્છા મુજબ વર્તવાની છૂટ ન અપાય !
કેટલાક કહે છે કે - ‘ગૃહસ્થોને બધી જરૂર છે, ત્યાં ત્યાગની વાત શી રીતે થાય ? ચિત્તમાં વિષય અને વાત વૈરાગ્યની ? હૈયામાં બીજું અને બહાર બીજું એ દંભ નથી ?' વારુ ! એમ કોણ કહે કે-હૈયામાં બીજું રાખો અને બહાર બીજું રાખો ? એમ કરનારા દંભી જ છે, એમાં ના પણ કોણ કહે છે ? પણ જેનું ચિત્ત વિષયમાં હોય એની આગળ વૈરાગ્યની વાત કેમ ન થાય ? જરૂરિયાતમાં પડેલાને ત્યાગનો ઉપદેશ કેમ ન દેવાય ? જેને ગૃહસ્થપણું ગમતું હોય એને એ ત્યાજ્ય છે, એમ. શું ન કહેવાય ? કહેવું જ પડશે કે - જરૂ૨ કહેવાય.
ન
૧૮૦
180
વળી વિચારો કે હૈયામાં હોય તેમ વર્તવાની છૂટ અપાય તો પરિણામ શું આવે ? આજના તો ત્યાં સુધી કહે છે કે “ઇચ્છા આવે ત્યાં પરાધીનતા રાખવી નહિ. આચાર્યને, ધર્મગુરુને, શાસ્ત્રને, એ કોઈને પણ માનવા જ નહિ, કેમ કે પરાધીનતાથી આત્મતત્ત્વ દબાઈ જાય છે, માટે સૌએ પોતપોતાની ઇચ્છા મુજબ વર્તવું ! આ છૂટ અપાય તો ઉદય થાય, એ વાત ખરી છે ? તમે માનો છો ? અનાર્ય દેશમાં પણ આવી છૂટ નથી. એ પણ સમજે છે કે - ‘એવી છૂટ અપાય તો ગૃહસ્થનાં ઘર ન ચાલે, વેપાર ન ચાલે, પેઢી ન ચાલે, રાજાનાં રાજ્ય ન ચાલે, તો ધર્મની વાત જ શી કરવી ?’
દેશ-કાળને અનુસરે પરિવર્તન થાય છે એ વાત ખરી, પણ તેનું રહસ્ય સમજો. બાવીસ તીર્થંકરદેવના સાધુઓ પ્રાજ્ઞ અને ઋજુ હતા, એટલે બુદ્ધિશાળી અને સ૨ળ, માટે એમને ઘણી છૂટ-બધી વાતમાં છૂટ ! પ્રતિક્રમણ પણ અતિચાર લાગે તો જ કરે, ન લાગે તો ન કરે. પણ શ્રી મહાવીરપ્રભુના શાસનમાં તો અવશ્ય કરવાનું જ. અતિચાર લાગે કે ન લાગે તો પણ કરવાનું જ. કારણ ? લાયકાત ઘટી. ત્યારે ભગવાન શ્રી મહાવીરદેવના સમયથી પ્રારંભીને અત્યાર
સુધીમાં આ વીસમી સદીમાં લાયકાત વધી કે ઘટી ? ઘટી હોય તો બંધન મૂકો. અયોગ્ય કાર્યવાહી માટે કાયદા કરો તો અમે સંમત છીએ જ. આ વખતે હોટલો આદિ બહુ વધ્યું છે, માટે ભણ્યાભક્ષ્યનો વિવેક ભુલાય છે, એટલે કાયદો કરે કે • જે જ્યાં ત્યાં ખાય તેનો દંડ' તો એ વાત અમને પણ મંજૂર છે. પણ એવી દલીલ કરે કે ‘ઠામ ઠામ હોટલો વધી છે, ત્યાં ગયા વિના ન ચાલે. માટે છૂટ આપવાનો કાયદો કરો' તો વિરોધ કરવો જ પડે. વિષયની સામગ્રી વધે ત્યારે વિષય-કષાયમાં વહેતા મૂકવા જોઈએ કે અંકુશમાં મૂકવા જોઈએ ? અક્રિયા