________________
૧૫૨
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
- 12 ભણેલા છે. xx હવે તો વિજ્ઞાનવાદ ભણો; પશ્ચિમની હવામાંથી મેળવાય તે મેળવી પ્રગતિમાન બનો. xx વગેરે વગેરે.”
આવી આવી શબ્દજાળો આજના તે વિરોધીઓ બિછાવી રહ્યા છે ! આ જાળમાં સામાન્ય જનતાને ફસાવવાના તનતોડ પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધું શું તમારી જાણ બહાર છે ? શું આજે ઉપર બતાવેલી રીતોથી અને બીજી પણ એ જ પ્રકારની અનેક રીતોથી આજ્ઞા સામે કોઈ એકના તરફથી બળવો ઊભો કરવામાં આવ્યો છે ? એમ ન માનતા કે-આજનો બળવો આકસ્મિક છે. ઇરાદાપૂર્વક એ બળવો ઊભો કરવામાં આવ્યો છે અને એ બળવાને ઊભો. કરનાર નાનું પણ એક ટોળું છે.
માટે હું કહું છું કે-હૈયામાં હોય તે પૂછો. બીજાનું કહેલું મૂછતા હો તો સઘળી હકીકત તેમને પૂછીને આવો. જેમ હું ખુલ્લા દિલથી કહું છું, તેમ તમે પણ ખુલ્લા દિલથી પ્રશ્ન કરો અને પ્રશ્નની સ્પષ્ટતા માટે જે કાંઈ પૂછું, તેના સ્પષ્ટ રદિયા આપો. હૃદયમાં બીજું હોય અને બહાર બીજું કહો, એ કેમ ચાલે ? બાકી આટલા તીવ્ર ઘોંઘાટ છતાં – “આજ્ઞાનો વિરોધ તો કોઈ મૂર્ખ હશે તે જ કરતો હશે ! બધા જ ક્યાં કરે છે ?” આવો પ્રશ્ન તમે કેમ કરી શકો છો ? “કોઈક મુખ જ વિરોધ કરે છે આ વાતને કયો બુદ્ધિમાન માને ? શું તમે આજે એમ કહી શકો છો કે “આટલો બધો ઘોંઘાટ કોઈ એક જ મૂર્મો કરે છે ?”
સભા: નહિ, નહિ, આ બધું કામ સિસ્ટેમેટિક યોજનાપૂર્વક) જ થાય છે.
જો આ વાત તમારા ખ્યાલમાં બરાબર આવી જાય તો તમો સૌ એવી રીતે વર્તવાનો નિર્ણય કરો કે જેથી તેઓને ખ્યાલ આવી જાય કે અમારી વાતની સમજુ વર્ગ ઉપર જરા પણ અસર થતી નથી. કાળજી રાખવાની જરૂરઃ
આજ્ઞાના પાલનમાં શક્તિના પ્રમાણમાં તરતમતા જરૂર હોય, બાકી શ્રદ્ધા તો પૂરેપૂરી થવી જ જોઈએ. આજે ઘણાં નિયમિતપણે ત્રિકાલ જિનપૂજન નથી કરી શકતા, ઉભયતંક આવશ્યક નથી કરી શકતા, પર્વતિથિએ પૌષધ નથી કરી શકતા, બારે વ્રત અખંડિતપણે નથી પાળી શકતા, એટલા ઉપરથી તેઓ શ્રદ્ધાળુ નથી એમ ઓછું જ કહેવાય ? કેમ કે તેઓ એમ તો કહે છે જ કે, “કરતા હતા તેઓને ધન્યવાદ, વર્તમાનમાં કરે છે તેમને પણ ધન્યવાદ અને અમારાથી નથી થતું એ અમારી પામરતા છે! આવું કહેનારા આજ્ઞાના આરાધક છે.
જૈનશાસન તો ત્યાં સુધી કહે છે કે, “મુનિના વેષમાં હોવા છતાં પણ જે