________________
૧૪ : આસ્તિક કોણ ? નાસ્તિક કોણ ? વીર સં. ૨૪૫૬, વિસં. ૧૯૮૦, માગસર વદ-૧૩, શનિવાર, તા. ૨૮-૧૨-૧૯૨૯
14
પરલોકની ક્રિયામાં ન માને તે નાસ્તિક : દુનિયાની ચીજોની જરૂ૨ અને ધર્મક્રિયાઓની નહિ ? માર્ગભ્રષ્ટતાની પરાકાષ્ઠા ! જગતને ધર્મક્રિયાઓથી ખસેડતાં વાર શી ? શ્રી કુમારપાળની ભાવના અને યાચના ! સામગ્રી વધી કે અધમતા વધી ? જીવતાં જનાવરોની કતલ સામે વિરોધ :
પરલોકની ક્રિયામાં ન માને તે નાસ્તિકઃ
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય કોટિનો ગણી, એની સ્તવના અનેક પ્રકારનાં રૂપકોથી કરે છે. એ રૂપકો પૈકી નગરનું, ચક્રનું, રથનું તથા કમળનું રૂપક જોઈ ગયા, અને હવે ચન્દ્રનું રૂપક ચાલે છે.
શ્રીસંઘરૂ૫ ચંદ્રને તપ અને સંયમરૂપ ચિહ્ન છે, જે ગમે ત્યાંથી દૃષ્ટિએ પડ્યા વગર રહે જ નહિ. ચંદ્રમાં સૌમ્ય હોય, તેમ શ્રીસંઘરૂપ ચંદ્રમાં પણ સૌમ્ય હોય, એ દરેકને શાન્તિ આપે; એને જોવાનું દરેકને મન થાય. જેમ ચંદ્રમાની પાછળ પણ નાસ્તિકોરૂપી રાહુ ફરતા હોય છે. પણ એ રાહુથી શ્રીસંઘરૂપ ચંદ્રનું ગ્રહણ થઈ શકતું નથી. શ્રીસંઘરૂ૫ ચંદ્રની આસપાસ ફરતા નાસ્તિકો, એ રાહુ છે. શ્રીસંઘરૂપ ચંદ્રને ગ્રસિત કરવા પ્રયત્ન કરનારા, એ રાહુમુખા-કાળમુખા છે, પણ ચંદ્ર કદી ગ્રહણ ન થાય તેવો છે.
જેઓ આજે શ્રી જિનેશ્વરદેવનાં અનુષ્ઠાનોને ઉત્થાપી રહ્યા છે તેઓને પણ આસ્તિક તરીકે પૂજાવવા માટે કેટલાક શાસનવિરોધીઓ જ ડાહ્યા હોવાનો આડંબર કરી કહે છે કે-“જે આત્માને, પરલોકને તથા પુણ્ય-પાપને ન માને તે નાસ્તિકપણ તે ડાહ્યા ગણાતાઓની ચાલબાજી સમજવા માટે વસ્તુસ્વરૂપને સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે.
ટીકાકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજા “વરિયા