SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ : આસ્તિક કોણ ? નાસ્તિક કોણ ? વીર સં. ૨૪૫૬, વિસં. ૧૯૮૦, માગસર વદ-૧૩, શનિવાર, તા. ૨૮-૧૨-૧૯૨૯ 14 પરલોકની ક્રિયામાં ન માને તે નાસ્તિક : દુનિયાની ચીજોની જરૂ૨ અને ધર્મક્રિયાઓની નહિ ? માર્ગભ્રષ્ટતાની પરાકાષ્ઠા ! જગતને ધર્મક્રિયાઓથી ખસેડતાં વાર શી ? શ્રી કુમારપાળની ભાવના અને યાચના ! સામગ્રી વધી કે અધમતા વધી ? જીવતાં જનાવરોની કતલ સામે વિરોધ : પરલોકની ક્રિયામાં ન માને તે નાસ્તિકઃ સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્ય કોટિનો ગણી, એની સ્તવના અનેક પ્રકારનાં રૂપકોથી કરે છે. એ રૂપકો પૈકી નગરનું, ચક્રનું, રથનું તથા કમળનું રૂપક જોઈ ગયા, અને હવે ચન્દ્રનું રૂપક ચાલે છે. શ્રીસંઘરૂ૫ ચંદ્રને તપ અને સંયમરૂપ ચિહ્ન છે, જે ગમે ત્યાંથી દૃષ્ટિએ પડ્યા વગર રહે જ નહિ. ચંદ્રમાં સૌમ્ય હોય, તેમ શ્રીસંઘરૂપ ચંદ્રમાં પણ સૌમ્ય હોય, એ દરેકને શાન્તિ આપે; એને જોવાનું દરેકને મન થાય. જેમ ચંદ્રમાની પાછળ પણ નાસ્તિકોરૂપી રાહુ ફરતા હોય છે. પણ એ રાહુથી શ્રીસંઘરૂપ ચંદ્રનું ગ્રહણ થઈ શકતું નથી. શ્રીસંઘરૂ૫ ચંદ્રની આસપાસ ફરતા નાસ્તિકો, એ રાહુ છે. શ્રીસંઘરૂપ ચંદ્રને ગ્રસિત કરવા પ્રયત્ન કરનારા, એ રાહુમુખા-કાળમુખા છે, પણ ચંદ્ર કદી ગ્રહણ ન થાય તેવો છે. જેઓ આજે શ્રી જિનેશ્વરદેવનાં અનુષ્ઠાનોને ઉત્થાપી રહ્યા છે તેઓને પણ આસ્તિક તરીકે પૂજાવવા માટે કેટલાક શાસનવિરોધીઓ જ ડાહ્યા હોવાનો આડંબર કરી કહે છે કે-“જે આત્માને, પરલોકને તથા પુણ્ય-પાપને ન માને તે નાસ્તિકપણ તે ડાહ્યા ગણાતાઓની ચાલબાજી સમજવા માટે વસ્તુસ્વરૂપને સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે. ટીકાકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી મલયગિરિજી મહારાજા “વરિયા
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy