________________
157 – - ૧૩: આજ્ઞાનો આરાધક સંઘ - 13 - ૧૫૭ નાશમાં તો એકલાનો જ નાશ, પણ શ્રીસંઘરૂપ ચંદ્રના નાશમાં તો આખા જગતમાં અંધકાર વ્યાપે. માટે આવી શ્રીસંઘરૂપ ચંદ્રના રક્ષણ માટે તો જીવન સમર્પાઈ જાય, તેની પણ જરાય દરકાર ન કરવી જોઈએ. શ્રી સંઘ સદા જયવંત રહો” - આ ભાવના સાથે, જેઓની આજે શાસન પ્રત્યે દુર્ભાવના છે, તેઓને પણ શ્રીસંઘરૂપ ચંદ્રના દર્શનના પ્રતાપે સદ્ગદ્ધિ સુઝે અને તેઓ પણ આત્મકલ્યાણના રસિયા બને, એ એક જ ભાવના હોવી ઘટે.