________________
૧૩પ
135
- ૧૧ : વિકૃત બનેલું વાયુમંડળ - 11 - કમળની ઉપમાને ધારણ કરનારા જો ભોગથી લેવાતા હોય અને સંસારની પ્રશંસા કરવામાં જ પોતાનું શ્રેય સમજતા હોય, તો તેઓને પાઘડી દુપટ્ટો આપી ઘો અને કહી દો કે-“પહેરી લ્યો, સંસારના જ વખાણ કરવાં હોય તો ચાલ્યા આવો સંસારમાં.” થવું કમળ અને ઉછાળવું ભોગરૂપ પાણી એ કેમ બને ? કમળનું જીવન નાળ ઉપર. નાળ ગયું તો કમળ ગયું. નાળ નહિ તો કમળ નહિ. કમળ એમ કહે કે – “અમે પણ ત્યાંથી આવ્યા, માટે તમે પણ ત્યાં જ રહો ?' ન જ કહે, અને કહે તો તમે પૂછો કે –
“તમે કેમ આવ્યા? સંસારને સારો માનનારને સાધુ બનવાની જરૂર પણ શી? સંસાર તો જેમ વહેલો છૂટે તેમ સારું. જે આત્મા સંસારનો લઘુ વયથી જ ત્યાગ કરે, તે સારું કે ખોટું? નાની વયમાં સંસારનો ત્યાગ કરનાર ભૂલ કરે છે અને જિંદગી સુધી સંસારમાં સડી મરનાર ડહાપણ કરે છે – એમ તો નથી જ ને? આ બધાના ઉત્તરમાં “ નાને મેં ય નદિ વ સતા છે” આ પ્રમાણે કહેનારને ખુલ્લા શબ્દોમાં કહી દેવું ઘટે કે-કમળપણાની નામનાનો લોભ મૂકી ઘો? શ્રતરત્નરૂપ નાળ ઉપર નહિ ટકી શકનાર, શ્રી જેનશાસનમાં કમળની સ્થિતિમાં રહેવા માટે લાયક જ નથી, એ સુનિશ્ચિત છે.”
કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું કે - ': “શ્રી જિનેશ્વરદેવના શાસનમાં તે જ ગુરુઓ માનેલા છે કે-જેઓ મહાવ્રતોને ધરનારા હોય, ધરેલાં મહાવ્રતોના પાલનમાં ધીર હોય, નિર્દોષ ભિક્ષામાત્રથી આજીવિકા ચલાવનારા હોય, સામાયિકમાં સ્થિર રહેનારા હોય અને ધર્મના ઉપદેશક હોય.
- જેઓમાં આ ગુણો ન હોય અને એનાથી વિપરીત જીવન જીવતા હોય તે ગુરુ નથી પણ કુગુરુ છે; આવા જ્યારે કુગુરુઓ ગુરુપદે ચઢી બેઠા, ત્યારે દેશમાં તીર્થકર શ્રી શીતળનાથ સ્વામીએ પણ કહી દીધું કે “ગૃહસ્થ એ ગુરુ ન હોય. આરંભી, સમારંભી, પરિગ્રહી, અબ્રહ્મચારી ગુરુ ન હોય.” આ વિષયમાં ખોટું સ્વાતંત્ર્ય કામ ન જ લાગે. જૈનશાસનનું સ્વાતંત્ર્ય કોઈ જુદું જ છે. “જ્ઞાની પુરુષોને પણ તાબે ન થવું અને ઇચ્છા મુજબ વર્તવું' - આવી સ્વતંત્રતામાં માનનારાઓ સાથે આપણો મેળ ન જ મળે. આગમની આજ્ઞાને આધીન વર્તવું, એ જ સ્વતંત્ર થવાનો રાજમાર્ગ છે. + “મહાદ્રિત્તા થીરા, પ્રેક્ષ્યમાત્રોની વિનઃ | सामायिकस्था धर्मोप-देशका गुरवो मताः ।।८।।"