________________
૧૨ : સંખ્યાબળના નામે શંભુમેળો ન ખપે - 12
અનીતિ કરે, જૂઠું બોલે, દુનિયાનાં સુખોમાં ખૂબ આસક્ત રહે, અભક્ષ્ય ખાય, એ પુણ્યવાન એમ ? ચાહના પ્યાલાઓએ તો આજે બધું તેજ બાળી નાંખ્યું, પાન ખાઈ ખાઈને હોઠ કાળા કર્યા, પરિમિત ખાનારના લાલ રહે-વધુ ખાય તેના પરિણામે કાળા થાય, બીડી-સિગારેટ પી-પીને હૈયાં બાળ્યાં; વિષયોની જ વાતો કરે, એ પુણ્યવાન કે પાપી ?
143
૧૪૩
નિર્બળતા, એ જૈનશાસનનો પ્રતાપ નથી. જૈનશાસન ઉપર આસ્થા બરાબર હોય, એમાં જ કલ્યાણ મનાતું હોય અને એના ફરમાન અનુસાર વર્તન થતું હોય, તો એના જેવો બળવાન કોઈ હોઈ શકતો નથી. ચોવીસે કલાક એને ખાવાની ચિંતા ન હોય, કદાચ ચાર દિવસ ન મળે તો પણ એને ચાલે, આજના લોકોને ગમે તેવું અગત્યનું કામ ચાલતું હોય, પણ અઢી કે ત્રણ વાગે એટલે ચાહ માટે ઊઠવું પડે છે એ શાથી ? મગજને ટેવ પડી કે-એ નશાબાજ ચીજ મળે તો જ સ્ફૂર્તિ આવે. એ ચીજ ન મળે તો કીમતી કામ પણ અટકી પડે છે. ચાહ વિના અગર અમુક ચીજ વિના ન જ ચાલે એમ માનવું, એ જ ખરી નિર્બળતા છે.
સવારે ઊઠીને આવશ્યક કરનારા, પૂજન કરનારા, રાત્રે સંથારા પોરિસી ભણીને સૂનારા શ્રાવક કેટલા ? શ્રાવક સૂઈ જાય ત્યારે સંસારનો એક પણ પદાર્થ તેને યાદ ન રહે, જેથી પથારીમાં પડ્યો પડ્યો મરે તોયે સમાધિમરણ થાય. માટે નિર્બળતા ક્યાંથી આવી એ વિચારો !
ગૃહસ્થ છે માટે શ્રાવકને બપોરે બે-ત્રણ કલાક અર્થચિંતા કરવી પડે પણ તે ખોટી માનીને કરે, અને એ પણ ક્યારે છૂટે, એવું શ્રાવક ઇચ્છે. અઢાર દેશના માલિક શ્રી કુમારપાળ મહારાજા ત્રિકાળ જિનપૂજન કરતા, ઉભય ટંક આવશ્યક કરવામાં એમને વાંધો નહોતો આવતો, નિરંતર જિનવાણી સાંભળતા, બારેય વ્રતો પાળતા, પર્વતિથિએ પૌષધ કરતા, ચોમાસામાં કાયમ એકાસણું કરતા તથા પાંચેય વિગઈનો અને વનસ્પતિનો પણ ત્યાગ કરવામાં એમને મૂંઝવણ નહોતી થતી, છતાં પણ એ બળવાન એવા કે-આખી સેના વચ્ચે એકલા પણ વિજય મેળવતા. લડવા જતા પણ શત્રુએ પ્રહાર કર્યા વિના હથિયાર નહોતા ઉપાડતા. હથિયાર પણ પુંજી પ્રમાર્જીને ઉપાડતા હતા. આ પ્રતાપ શ્રી જૈનશાસનનો, પણ બીજાનો નહિ !
નિર્બળતાનું કારણ સંસારની આસક્તિ ::
આજે આગેવાનો પણ આવડે તો રાજાશાહી ભોગવી શકે છે. રાજા ધર્મી