________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ગાથા - ૯૩
૧૩
પ્રવચનસાર પ્રવચનો દ્રવ્યો એક જેમનો આશ્રય છે એવા વિસ્તારવિશેષોસ્વરૂપ ગુણોથી રચાયેલાં (ગુણોનાં બનેલાં) હોવાથી ગુણાત્મક છે.
(શું કહે છે... ? ) કે: મિથ્યાત્વના પ્રતિક્રમણની વ્યાખ્યા ચાલે છે. અને સમ્યક્ત્વ રૂપ દર્શન થાય અને સમ્યજ્ઞાન થાય તેની વાત છે. એ સમ્યગ્દર્શન જ્ઞાનમાં આયત આખી પહોળી (દ્રવ્યના પહોળાઈ –અપેક્ષાના એક સાથે રહેનારા, સહભાવી ) ભેદોને (વિસ્તારવિશેષોને) ગુણો કહેવામાં આવે છે; જેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે જીવદ્રવ્યના વિસ્તાર વિશેષો અર્થાત્ ગુણો છે. તે વિસ્તાર-વિશેષોમાં રહેલાં વિશેષપણાને ગૌણ કરીએ તો એ બધામાં એક આત્મા રૂપ સામાન્યપણું ભાસે છે. આ વિસ્તારસામાન્ય તે દ્રવ્ય છે. અને ક્રમભાવી વિશેષપણાને ગૌણ કરીને એટલે પર્યાય ત્રણેય કાળની પર્યાયોને (ગૌણ કરીએ તો એ બધામાં એક દ્રવ્યપણારૂપ સામાન્યપણું જ ભાસે છે. ) તે દ્રવ્ય છે ( આ ) વિસ્તાર સામાન્ય (તે) દ્રવ્ય છે. અને આમ લંબાઈથી (લંબાઈ અપેક્ષાના ) ક્રમભાવી પર્યાયોમાં પ્રવર્તતા વિશેષપણાને ગૌણ કરીએ તો તે એક દ્રવ્ય છે. વિસ્તાર સામાન્યનું દ્રવ્ય જુદું અને આયતસામાન્યનું દ્રવ્ય જુદું એમ નથી. સમજાણું કાંઈ...? આમ એક સાથે (સહભાવી ) અનંતા ગુણો છે. એ પણ દ્રવ્ય છે. (અને) એની જે દ્રવ્ય-ગુણથી, ત્રિકાળીથી ઉત્પન્ન થયેલી પર્યાયો - એ ત્રિકાળી પર્યાયોનો સમુદાય એમાં વિશેષ કાઢી નાખો (દૃષ્ટિમાં ન લ્યો) તો તે સમુદાય એકલું દ્રવ્ય ૨હે છે. જેમ વિસ્તારસામાન્યનું દ્રવ્ય છે એવી રીતે આયતસમુદાયનું (પણ) એ જ દ્રવ્ય છે. વિસ્તારસમુદાયનું દ્રવ્ય જુદું અને આયતસમુદાયનું દ્રવ્ય જુદું એમ નથી. એ તો બે પ્રકારે (દ્રવ્ય ) સમજાવ્યું છે. બે એનાં જુદાં જુદાં દ્રવ્ય નથી. આહા...હા ! સમજાણું કાંઈ....?
–
(કહે છે) કેઃ વિસ્તા૨સામાન્યનું આ તીચ્છું છે તે (પહોળાઈ -અપેક્ષાએ ) સાથે આયાત સામાન્યનું) લંબાઈ અપેક્ષાએ (એટલે કે) સહભાવી અને ક્રમભાવી આમ બે દ્રવ્ય જુદાં નથી (પણ એક જ દ્રવ્ય બે પ્રકારે છે) હજી તો દ્રવ્યને – ગુણને અને પર્યાયને સમજાવવા આ વાત છે. અરે..! શું થાય ? ( પોતે સમજે તો થાય).
આહા...હા...! (જુઓ ને...!) બિચારાં નાની નાની ઉંમરમાં અસાધ (બેભાન ) થઈ જાય (છે). બાપુ...! ( ભાઈ.!) સાધ (ભાન ) થવાની તો (આ) વાતો છે. મિથ્યાદષ્ટિ છે તે અસાઘ છે. અહીંયાં તો કોઈ ) બાહ્યથી અસાધ (હેમરેજ થવાથી ) છે. ( પણ ) જેને આ દ્રવ્ય-ગુણ-પર્યાયની વાસ્તવિકતાની ખબરું ય નથી તે (અંતરથી ખરેખર) અસાધ પ્રાણી છે. એ મિથ્યાત્વમાં અસાધ (મૂઢ) થઈ ગયા છે...! (કારણ કે) એને સાધ (વસ્તુ-સ્થિતિનું ભાન) નથી કે આ દ્રવ્ય તે વિસ્તારસામાન્યગુણોનો સમુદાય અને આયાતસામાન્યસમુદાય-ત્રિકાળી લંબાઈ – અપેક્ષાના પર્યાયો છે તે દ્રવ્ય છે.
(શું કહે છે...?) કેઃ ( એક ગુણની ) એક સમયની પર્યાય અને એવી ત્રિકાળી (ભૂતભવિષ્ય-વર્તમાન ) પર્યાયો તે આખો ગુણ. અને એવા અનંતા ગુણોની (ત્રિકાળી ) પર્યાયો તે અનંત ગુણો. તે અનંતી પર્યાયોનો સમુદાય-વિશેષોને કાઢી નાખો (લક્ષમાં ન લ્યો) તો જીવનું વિસ્તારસામાન્ય દ્રવ્ય છે તે જ પોતે આયતસામાન્યનું દ્રવ્ય છે. આહા...હા... હવે આવી ભાષા... (કોઈ દી' સાંભળી ન હોય) અરે રે....! આવી (વસ્તુતત્ત્વની ) વાત છે. બાપા...! આત્મા કહો કે ૫૨માણુ કહો કે છ દ્રવ્યમાંથી કોઈપણ દ્રવ્ય (ની વ્યાખ્યા ) કહો, દ્રવ્ય જ એને કહીએ કે આમ તીછા (પહોળાઈ–અપેક્ષાના ગુણો–સહભાવી) નો પિંડલો તે દ્રવ્ય છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com