________________
આનંદવાળો માવાન-શુદ્ધ સ્વભાવવાળો આત્મા રિસ્તામતોઘનિમઃસ્થિર સમુદ્રના જેવો (પ્રશાંત હોય છે.) (૩) જેમ તરંગોથી થતી સમુદ્રની પૂર્ણતા અવાસ્તવિક છે, તેમ હું ધનવાન છું વગેરે વિકલ્પોથી થતી પૂર્ણતા અવાસ્તવિક છે. પૂર્ણાનંદ સ્વરૂપ (સિદ્ધ) ભગવાન વિકલ્પ રહિત હોવાથી સ્થિર સમુદ્ર સમાન છે.
સમુદ્રમાં બે રીતે પૂર્ણતા છે. (૧) તરંગોથી અને (૨) સ્થિરતાથી. તેમ આત્મામાં પણ બે રીતે પૂર્ણતા છે. (૧) વિકલ્પોથી અને સ્થિરતાથી. વિકલ્પોથી થતી પૂર્ણતા અનિત્ય છે, કારણકે પૂર્વે (બીજી ગાથામાં) કહ્યું તેમ કૃત્રિમ છે. સ્થિરતાથી પ્રગટતી પૂર્ણતા પૂર્વે કહ્યું તેમ સ્વાભાવિક હોવાથી નિત્ય છે. આથી નિત્ય પૂર્ણતા પ્રાપ્ત કરવા હું ધનવાન છું વગેરે વિકલ્પોનો ત્યાગ કરવો જોઈએ.
जागर्ति ज्ञानदृष्टिश्चेत्, तृष्णाकृष्णाहिजाङ्गली । पूर्णानन्दस्य तत्कि स्याद्, दैन्यवृश्चिकवेदना ? ||४|| અન્વય સહિત શબ્દાર્થ(૪) વે-જો તૃMIUIદિનાન્ની-તૃષ્ણારૂપ કાળા નાગના ઝેરનો નાશ કરવામાં ગારુડીના (= મદારીના) મંત્ર સમાન જ્ઞાનવૃષ્ટિ:-તત્ત્વજ્ઞાન રૂપી દષ્ટિ ના ર્તિ-પ્રગટે છે ત–તો પૂનદ્રચ-પૂર્ણ આનંદવાળાને સૈન્યવૃશ્ચિક્ટવેવના-દીનતારૂપ વીંછીની પીડા વિમૂ-શું ચા-હોય? (૪) જો તૃષ્ણારૂપ કાળા નાગનું ઝેર ઉતારવામાં ગારુડી મંત્ર સમાન તત્ત્વજ્ઞાન દષ્ટિ પ્રગટે છે તો પૂર્ણાનંદ ભગવાનને દીનતા રૂપ વીંછીના ડંખની વેદના શું હોય?
સ્વ-પરના વિવેક રૂપ તત્ત્વજ્ઞાનદષ્ટિથી તૃષ્ણાનો ક્ષય થવાથી પૂર્ણાનંદ બનેલા આત્મામાં દીનતા હોતી નથી. આનાથી તત્ત્વજ્ઞાનદષ્ટિ તૃષ્ણાયનો રામબાણ ઉપાય છે એ જણાવ્યું.
पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता । पूर्णानन्दसुधास्निग्धा, दृष्टिरेषा मनीषिणाम् ||५||
= • ૩ •