________________
न्यायाचार्य श्री यशोविजयोपाध्यायविरचितम् श्री ज्ञानसारप्रकरणम |
(રોપજ્ઞમષાર્થસહિતમ્) ऐन्द्रवृन्दनतं नत्वा, वीरं तत्त्वार्थदेशिनम् । अर्थः श्री ज्ञानसारस्य, लिख्यते लोकभाषया ||
ઇંદ્રના સમૂહથી નમાયેલા અને તત્ત્વાર્થના ઉપદેશક મહાવીર પ્રભુને નમસ્કાર કરીને જ્ઞાનસારનો અર્થ લોકભાષામાં લખું છું.
पूर्णताष्टकम् ऐन्द्रश्रीसुखमग्नेन, लीलालग्नमिवाखिलम् ।
सच्चिदानन्दपूर्णेन, पूर्ण जगदवेक्ष्यते ||१|| અન્વય સહિત શબ્દાર્થ(૧) રુવ-જેમ રેન્દ્રીસુમન-ઈન્દ્ર સંબંધી લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલા પુરુષથી વન-સર્વ ન-જગત નીનોનનં-સુખમાં મગ્ન થયેલું પ્રવેશ્ય-દેખાય છે. (તેમ) સં-સત્તા વિજ્ઞાન અને શાનઃસુખથી પૂર્ણ યોગીથી (સંપૂર્ણ જગત) પૂર્ણ-જ્ઞાન, દર્શન અને ચારિત્રથી પૂર્ણ દેખાય છે. (૧) જેમ ઇંદ્રની લક્ષ્મીના સુખમાં મશગુલ જીવ સંપૂર્ણ જગતને સુખી
૧ સત્તા = સદા સ્વરૂપમાં વિદ્યમાનતા. શ્રી દેવચંદ્રજી મહારાજે સત્નો શુભ અથવા શાશ્વત એવો અર્થ કર્યો છે. એમની દષ્ટિએ સવિતા પદનો અર્થ શુભ કે શાશ્વત જ્ઞાન અને સુખ એ બેથી પૂર્ણ એવો થાય છે.