________________
દાદય,
e
ઘડાને આકાર અને માટી એ બને ઘડાનાં સ્વરૂપ છે. એમાં ઘડાને આકાર એ વિનાશી છે અને બીજી
સ્વરૂપ જે માટી તે વિનાશી નથી પણ ધ્રુવ છે. આથી એ સિદ્ધ થાય છે કે-ઘડાનું વિનાશી રૂપ જે આકારવિશેષ તેનાથી ઘટ અનિત્ય છે અને ઘડાનું વરૂપ જે સૃપિંડ તેનાથી ઘટ નિત્ય છે. આવી રીતે એક જ વસ્તુમાં નિત્ય અને અનિત્યવ રૂપ વિરુદ્ધ ભાસતા ધર્મો રહી શકે છે.
બીજા પણ પરસ્પર વિરુદ્ધ ધર્મો એક જ વસ્તુમાં કેવી રીતે રહેલા છે તે સસજવા માટે એ જ ઘટના ઉદાહરણને બીજી રીતે જોઈએ. દરેક વસ્તુમાં સમાન અને વિશેષ ધર્મો રહેલા છે. હજારો ઘડાઓમાં “આ ઘ” “આ ઘડો– એવી સમાનાકાર બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ એમ બતાવે. છે કે તમામ ઘટમાં એક સામાન્ય ધર્મ (ઘટત્વ) રહેલ છે, વળી એ હજારો ઘડાઓમાં દરેક મનુષ્ય પિતપોતાને ઘડે ઓળખી શકે છે, તેથી તે પ્રત્યેક ઘડાઓમાં વિશેષ ધર્મો પણ રહેલા છે કે જેનાથી પ્રત્યેકની પૃથફ પૃથફ ઓળખાણ થઈ શકે છે.
આ પ્રમાણે વસ્તુ માત્રમાં સમાનતા અને અસમાન મતા રૂપ ઉભય પ્રકારના ધર્મો રહેલા છે. એ બને ધર્મો એક જ વસ્તુમાં માલુમ પડે છે, તેથી તે ધર્મો વસ્તુથી અલગ નથી. આથી સ્યાદ્વાદ-દર્શન પ્રત્યેક વસ્તુને સામાન્ય – વિશેષ ઉભયાત્મક માને છે.