________________
કર્મ
પ્રશ્ન જીવ પહેલાં કે કર્મ?
ઉત્તર૦ જીવ પહેલાં અને કર્મ પી, એ વાત ઘટી શકે નહિ. કર્મ વિનાના જીવને કર્મ કરવાનું પ્રજા શું? કર્મરહિત જીવ પણ કર્મ કરે, તે સિદ્ધના જીએ પણ કર્મ કરવાં જોઈએ. કર્મ પહેલાં અને જીવ પછી, -એ વાત પણ ઘટી શકે નહિ. જીવ રૂપી કર્યા વિના કર્મ થાય શી રીતે ? જીવ અને કર્મ એક સાથે ઉત્પન્ન થયા, એ વાત પણ માનવા ચગ્ય નથી. કર્તા અને કર્મ સમકાળે ઉત્પન્ન થઈ શકે નહિ, કારણ કે કર્મ કરનાર જીવની હયાતિ પૂર્વે જોઈએ.
જગતમાં કમ નથી પણ એક જીવ જ છે, એ વાત પણ ઘટતી નથી. જગતની પ્રત્યક્ષ વિચિત્રતા એકલા જીવથી ઘટી શકતી નથી. જીવ અને કર્મના સંગથી જ જગતની ચિત્રવિચિત્રતા ઘટી શકે છે. જીવ અને કર્મ કાંઈ છે જ નહિ, એ વાત પણ પ્રત્યક્ષ પ્રમાણથી વિરુદ્ધ છે. કાંઈ છે જ નહિ, એવું જ્ઞાન કેને થયું ? એ જ્ઞાન જેને