________________
ક્ષતિ
૧૧ નાશ પામે એટલે આત્મા શુદ્ધ થાય, આત્મા શુદ્ધ થાય એટલે નિર્મળ જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય અને જ્ઞાનાદિની પ્રાપ્તિ થવાથી અનુક્રમે સકલ કમ નાશ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન શ્રી જિન મંદિરને શું ઉપમા આપી શકાય?
ઉત્તર૦ શ્રી જિનમંદિરને અનેક પ્રકારની સુંદર ઉપમા આપી શકાય છે. જેમકે -શ્રી જિનમંદિર, એ આ સંસારમાં મૂંગું ઉપદેશક પુસ્તક છે. ભવ અટવીમાં ભૂલા પડેલાઓને દીવાદાંડી સમાન છે બન્યા જળ્યા દિલને શાન્તિનું વિશ્રામસ્થાન છે. ઘવાયેલાઓના ઘાને રૂઝાવવા માટેની સંહિણી ઔષધિ છે. પથ્થર અને ઝાંખરાની ભૂમિમાં અપૂર્વ કલ્પવૃક્ષ છે. સળગતા વડવાનલમાં બરફને પર્વત છે. ખારાસાગરમાં મીઠી વીરડી છે. સંતેને તે એ જીવન પ્રાણ છે. દુર્જનેને માટે અમેઘ શાસન છે. ભૂતકાળની પવિત્ર યાદ છે વર્તમાન કાળનું આત્મિક વિલાસ ભુવન છે. ભાવિકાળનું ભાથું છે. સ્વર્ગની નિસરણી - છેઃ મોક્ષને સ્થભ છે. નરકની અર્ગલા છે: આત્મજ્ઞાન રૂપી અમૃતને કુંડ છે તેમજ ચતુર્ગતિની આપત્તિઓથી રક્ષણ કરવા માટે મજબૂત કિલ્લે છે.
પ્રશ્નશ્રી તથ કરદેવની પૂજા શા માટે?
ઉત્તર૦ શ્રી તીર્થકરદે આપણા વડવાઓ હતા અગર મોટા રાજ્યોના માલિક ચક્રવતીઓ આદિ હતા, માટે આપણે તેમને પૂજવાના છે, એમ નથી. તેમની પૂજા