________________
워
૧ર૩
એ આત્મા દુનિયાના વ્યવહારને ખાવા-પીવા જે માને છે અને આત્માના વ્યવહારને આબરૂ જાળવવા જેવું માને છે. ગૃહસ્થને આબરૂ, આબરૂએમ જપવું પડતું નથી, પણ મનમાં એ જ રમ્યા કરે છે અને કઈ પણ પ્રવૃત્તિથી આબરને હાનિ ન પહોંચી જાય, એની સર્વ કાલને માટે સંભાળ રાખ્યા કરે છે, તેમ સમ્યગૃષ્ટિ જીવ સમ્યફ“સમ્યકત્વ એ પિકાર કરતું નથી, તે પણ એનું લક્ષ્ય એના ઉપર જ હોય છે. - પનિયારી પાણીનું બેડું માથે મૂકીને ચાલતી વખતે ગમે તેટલી વાતચીત કે લહેકાલટકા કરે, તે પણ તેનું મન બેડ ઉપર જ રહે છે અથવા નવવધૂ ઘરનાં સઘળાં કામ કરે, તેપણ ચિત્તથી પતિને કે પતિના સમાગમને જ યાદ કર્યા કરે છે. એ સ્થિતિ સમ્યગ્દષ્ટિ જીવની હોય છે. જન્મ અને કર્મની પરંપરા તથા તેનાથી છૂટીને મિક્ષને મેળવવા ઉપર જ તેનું લક્ષ્ય હોય છે. -
પ્રશ્નો વગર ઈચ્છાએ કરેલી ક્રિયા ફળે?
ઉત્તર જીવ નિગોદમાંથી નીકળીને ઊંચી સ્થિતિએ. આવે છે, તે સકામનિજેરાથી નહિ પણ અકામનિજેરાથી જ આવે છે. અકામ એટલે ઈચ્છા વિના. જે ઈરછા વિના કરેલી ક્રિયા ન જ ફળતી હોત, તે અકામનિજેરાથી જીવને ઊંચે આવવાનું પણ ક્યાંથી બનત? માટે વગર ઈચ્છાએ કરેલી ક્રિયા પણ ઓછા-વધતા પ્રમાણમાં અવશ્ય ફળે છે.